પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા અને પોતાની જ પાર્ટીમાં એકલા દેખાઇ રહેલા કેપ્ટન અમરિંદર સિંહ હવે ખુલીને બોલી રહ્યા છે. આ વખતે તેમણે કોંગ્રેસ પર મોટા પ્રહાર કર્યા છે.
CM પદેથી રાજીનામું આપ્યા બાદ પક્ષ અને કેપ્ટન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
કેપ્ટન અમરિંદરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ અસફળતાઓથી ભાગનારી પાર્ટીઃ કેપ્ટન
મુખ્યમંત્રી અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટીને પણ અરિસો બતાવી રહ્યા છે અને હરીશ રાવત અને રણદીપ સુરજેવાલા જેવા નેતાઓ પર પણ કટાક્ષ કરી રહ્યા છે. ફરી એક વખત કેપ્ટને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને અસફળતાઓથી ભાગનારી પાર્ટી ગણાવી દીધી છે.
અમરિંદરે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
અમરિંદરે કહ્યું કે, કોંગ્રેસ પૈનિકમાં આવી ચૂકી છે. પાર્ટીના નેતા જેવા નિવેદન આપી રહ્યા છે, તેનાથી એ સ્પષ્ટ થઇ જાય છે. હજુ માત્ર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. દુઃખ થયા છે કે કોંગ્રેસ પોતાની અસફળતાઓથી ભાગી રહી છે અને જૂઠના સહારે પોતાના 'જૂઠ'ને સત્ય બતાવવાના પ્રયત્નો કરી રહી છે.
કેપ્ટને વધુમાં હરીશ રાવતઅને સુરજેવાલા પર પણ કટાક્ષ કર્યો. હવે કારણ કે બન્ને રાવત અને સુરજેવાલાએ એક જ મુદ્દા પર અલગ-અલગ દાવા કરી નાખ્યા, તેવામાં કેપ્ટન આ મોકો ચૂક્યા નહીં.
કોંગ્રેસ હવે સિદ્ધુની કૉમિક સ્ટાઇલથી વધુ પ્રભાવિત થઇ ગઈઃ કેપ્ટન
એવું અનુભવાય છે કે, કોંગ્રેસ હવે સિદ્ધુની કૉમિક સ્ટાઇલથી વધુ પ્રભાવિત થઇ ગઈ છે. પહેલા સુરજેવાળા કહે છે કે, 78 ધારાસભ્યોએ મારા વિરૂદ્ધ પત્ર લખ્યો હતો. રાવત કહે છે કે, 43ને પત્ર લખ્યા હતા. કાલે બોલશે કે 117 ધારાસભ્યોને પત્ર લખ્યા હતા. એજ તો કોંગ્રેસની હાલત છે. આ લોકો ખોટું બોલવાના મામલે પણ કૉર્ડિનેટ નથી કરી શકતા.
પંજાબે મારા પર ભરોસો નથી ખોયોઃ કેપ્ટન
ત્યારે અમરિંદરે આ વાત પર પણ ભાર આપ્યો કે પંજાબમાં લોકોએ કદાચ કોંગ્રેસ પર ભરોસો ગુમાવી દીધો છે, પરંતુ તેનામાં નથી ગુમાવ્યો. તેમની નજરોમાં તેમણે પંજાબના વિકાસ માટે તમામ કામ કર્યા છે. તેમણે પોતાના તમામ ચૂંટણી વચનો પૂર્ણ કરવા સાચો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે, પાર્ટી કંઇપણ કહે પરંતુ 2017 બાદ પંજાબમાં તમામ ચૂંટણી જીતવામાં આવી છે. ગત વિધાનસભામાં અમે 77 બેઠકો જીતી લીધી હતી. પેટાચૂંટણીમાં પણ ચારમાંથી ત્રણ બેઠકો પોતાના નામે કરી હતી. લોકસભા ચૂંટણીમાં પણ 13માંથી 8 બેઠકો જીતવામાં સફળ રહ્યા, જ્યારે સમગ્ર દેશમાં ભાજપની લહેર હતી.
સિદ્ધુ પાસે જરૂરિયાતથી વધુ તાકાતઃ કેપ્ટન
એજ આંકડાઓના દમ પર કેપ્ટન માને છે કે પંજાબની જનતા તેમને હજુ પણ વિશ્વાસ રાખે છે. અમરિંદરના જણાવ્યા અનુસાર તેમના વિરૂદ્ધ આ માહોલ થોડા જ લોકોએ તૈયાર કર્યો છે, એ પણ સિદ્ધુના કહેવા પર. કેપ્ટને ભાર આપીને કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસ દ્વારા સિદ્ધુને જરૂરિયાતથી વધુ તાકાત આપી દેવામાં આવી છે. તેઓ હજુ એક તાનાશાહની જેમ પોતાની શરતો રાખી પણ રહ્યા છે અને તેને મનાવવાના પણ પ્રયાસ કરી રહ્યા છે..
પંજાબ પ્રભારી હરીશ રાવત પર કેપ્ટનના પ્રહાર
ત્યારે આ વખતે પંજાબ પ્રભારી હરીશ રાવતને પણ કેપ્ટને આડેહાથ લીધા છે. રાવતે દાવો કર્યો હતો કે કેટલાક મામલે મુખ્યમંત્રી સમયે અમરિંદર નિષ્ફળ રહ્યા હતા. તેઓ ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને વીજળી જેવા મુદ્દાઓ પર વચનો પૂર્ણ નહોતા કરી શક્યા. હવે કેપ્ટને જડબાતોડ જવાબ આપ્યો છે.
કેપ્ટને કહ્યું કે, હરીશ રાવતને ભ્રષ્ટાચાર જેવા સંવેદનશીલ મુદ્દા પર સંભાળીને બોલવું જોઇએ. આવું જૂઠ કોંગ્રેસને આગામી ચૂંટણીમાં મોટું નુકસાન આપશે. અહીં હું એ પણ સ્પષ્ટ કરી દઉં કે જો મેં બાદલો સાથે હાથ મિલાવ્યો હોત તો હું ખુદ 15 વર્ષ સુધી તેના વિરૂદ્ધ કોર્ટમાં લડાઈ ન લડી રહ્યો હોત. હું એકલો તમામ કાયદાકીય જંગ લડી રહ્યો છું. કોઇ નેતાએ મારી કોઈ મદદ નથી કરી.