ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે.
ગણેશ હિન્દૂ ધર્મમાં સૌથી વધારે પૂજવામાં આવતા દેવતાઓમાંથી એક છે
બુધવારે આ ઉપાય કરવાથી તમારા કષ્ટોનું નિવારણ થશે
મનોકામનાઓની પૂર્તિ માટે સતત 7 બુધવાર સુધી ગણેશજીને ગોળનો ભોગ ચઢાવો
અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. ભગવાન ગણેશ હિન્દૂ ધર્મમાં સૌથી વધારે પૂજવામાં આવતા દેવતાઓમાંથી એક છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જેની કુંડળીમાં બુધ દોષ છે. તે આ દિવસે ઘણા ઉપાય પણ કરી શકે છે. આ દિવસે બુધ દોષ દૂર કરવામાં મદદ મળે છે. સાથે જ આ ઉપાયથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. બુધવારે આ ઉપાય કરવાથી તમને કષ્ટોનું નિવારણ થશે. આવો જાણીએ આ દિવસે તમે કયા ઉપાય કરી શકો છો.
બુધવારે કરો ગણેશજી ની પૂજા
ભગવાન ગણેશનાં ઘણા અવતાર છે જેમાં અષ્ટ વિનાયક સૌથી પ્રસિદ્ધ છે. આમ તો ગણેશજીના કોઈ પણ અવતારની પૂજા કરવાથી લાભ મળે છે પણ બુધવારને દિવસે ખાસ સિદ્ધી વિનાયકની પૂજા કરવાથી દરેક બગડેલ કામ બની જાય છે.
આ કરો કામ
-મનોકામનાઓની પૂર્તિ માટે સતત 7 બુધવાર સુધી ગણેશજીને ગોળનો ભોગ ચઢાવો. એનાથી તમારા અટકેલા કામ પણ બની જશે.
-સતત 7 બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. આવું કરવાથી જીવનમાં આવી રહેલી તમામ પરેશાનીઓ દૂર થાય છે.
-સતત સાત બુધવાર સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તરક્કી થાય છે. એનાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે.
-સતત 7 બુધવાર ગણેશજીને મોદક ચઢાવો, એનાથી બુધ ગ્રહની નકારાત્મક પ્રભાવ દૂર થાય છે.
-જેની પાસે પૈસા ટકતા નથી એમને સતત સાત બુધવારે ગણેશજીને પાન સોપારી ચઢાવવી જોઇએ, એનાથી આર્થિક તંગી દૂર થાય છે.
-જો ઘરમાં હંમેશા ઝઘડો થતો રહે છે તો સતત સાત બુધવાર કોઇ ગણેશ મંદિરમાં લીલા શાકભાજીનું દાન કરો. એનાથી લાભ થશે.
-દેવાથી છુટકારો મેળવવા માટે હનુમાનજીને લાલ સિંદૂર અર્પણ કરો. આ કામ તમારે સતત સાત બુધવાર કરવું પડશે.
આ ઉપરાંત
-જો તમારો બુદ્ધ કમજોર હોય તો તમને બુધવારવના દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. તમે પોતાની પાસે લીલા રંગનો રૂમાલ રાખી શકો છો. આ દિવસે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડા દાન કરો. બુધવારે લીલો રંગ શુભ માનવામાં આવે છે.
-એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને ધરો ખૂબ જ પસંદ છે. બુધવારના દિવસે ભગવાનને 21 ધરો સમર્પિત કરવો જોઈએ. તેનાથી જીવનમાં દરેક મુશ્કેલીઓ દૂર થશે.
-બુધ દોષ દૂર કરવા માટે માતા દુર્ગાની આરાધના કરો. આ દિવસે "ઓમ એં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે" મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ 108 વખત કરી શકો છો.