MP બાદ હવે દિલ્હીના જહાંગીરપુરીમાં બે દિવસ સુધી આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલશે.
મધ્યપ્રદેશ બાદ હવે દિલ્હીના જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર
જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ તંત્ર એક્શનમાં
સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવાયો
દિલ્હીના જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ હવે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સનો ખડકલો ખડકી દેવાયો છે. લોકોએ પોતાના સામાન પણ હટાવવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો છે.
Heavy police deployment continues in Delhi's Jahangirpuri area to maintain law and order in the city.
Stone-pelting incidents took place on April 16 evening during a religious procession here. pic.twitter.com/479mFbD7Ua
MP બાદ હવે દિલ્હીમાં બુલડોઝર દોડશે, ભારે સુરક્ષા દળ તૈનાત
જહાંગીરપુરી હિંસા બાદ વહીવટીતંત્ર ખૂબ જ કડક બન્યું છે. આથી, જહાંગીરપુરીમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા આજે MCD દ્વારા બુલડોઝર ચલાવવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી દેવાઇ છે.
#WATCH | Delhi Police take stock of the situation in Jahangirpuri which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/rHlxA62wZ6
આ દરમિયાન MCD એ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગ કરી છે કે જેઓ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. રોડની બાજુમાં જે કચરો પડેલો છે તે કચરો પણ બુલડોઝર દ્વારા દૂર કરાય તેવી શક્યતા. જો કે, કોઈનું ઘર તૂટે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. જહાંગીરપુરી હિંસા બાદ ઉત્તર MCD અને ગૃહ મંત્રાલયના કડક પગલાં લેવાના આદેશ બાદ સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ પર અતિક્રમણ કરનારા તમામ લોકો સવારથી જ સામાન હટાવવા આવી ગયા હતા.
સુરક્ષા એજન્સીઓએ કોઇ પણ પ્રકારના ઉપદ્રવથી બચવા માટે આજે તમામ અર્ધલશ્કરી દળોને છત પર તૈનાત કરી દીધા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે પથ્થરમારો ન થાય. આ સાથે જ બુલડોઝરથી અતિક્રમણને હટાવતી વેળાએ જે-તે વિસ્તારમાં હિંસા ન થાય અથવા તો ગેરકાયદેસર જૂથવાદ ન થાય તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા પણ મંગાવવામાં આવ્યા છે.
1500થી વધારે જવાન તૈનાત
જહાંગીરપુરીમાં પોલીસને 14 ટીમમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમમાં પેરામિલિટ્રી ફોર્સની એક કંપની અને દિલ્હી પોલીસના 50 જવાન તૈનાત છે, પેરામિલિટ્રી ફોર્સ સહિત અંદાજે 1500થી પણ વધારે પોલીસકર્મીઓ હિંસાગ્રસ્ત વિસ્તારમાં જહાંગીરપુરીમાં તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | DCP North West Usha Rangnani inspects the Jahangirpuri area ahead of the anti-encroachment drive announced by MCD
Stone-pelting incidents took place on April 16 evening during a religious procession here. pic.twitter.com/JzuGHh3Vmt
ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવાનો નિર્ણય લીધો છે. તેને લઇને ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ઉત્તર પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) ને પત્ર લખીને કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે 400 દિલ્હી પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરી છે. ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે, જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે.