દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું છે. ત્યારે હવે ટેક્સ સ્લેબને લઇને મોદી સરકારે મોટું એલાન કર્યું છે. ટેક્સ પેયર્સને મોટી રાહત આપતાં નાણામંત્રીએ ટેક્સના સ્લેબમાં ફેરફાર કર્યા છે. જોકે આ નવી ટેક્સ વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક હશે. ત્યારે ટેક્સપેયર્સને સરકારે ઊંધા કાન પકડાવ્યા છે.
5 લાખ સુધીની આવક વાળા વ્યક્તિને ઝીરો રૂપિયા ટેક્સ
જો 15 લાખ કરતાં વધુ આવક હશે તો 30 ટકા ઈન્કમટેક્સ ભરવો પડશે
જુના ટેક્સ સ્લેબની સરખામણીએ સરકારે ટેક્સ ઘટાડ્યા
મોદી સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે 2.5થી 5 લાખની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ ભરવો પડશે. પાંચથી સાડા સાત લાખ વચ્ચે હવે 10 ટકા ટેક્સ ભરવો પડશે. નવી ટેક્સ વ્યવસ્થા કરદાતાઓ માટે વૈકલ્પિક હશે. નવી કોર્પોરેટ કંપનીઓ પર 15 % કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે.
હવેથી આ પ્રમાણે પણ ભરી શક્શો ઇન્કમ ટેક્સ
આવક
ટેક્સ
2.5થી 5 લાખ સુધી
5 %
5થી 7.5 લાખ
10 %
7.5થી 10 લાખ
15 %
10થી 12.50 લાખ
20 %
12.50થી 15 લાખ
25 %
15 લાખથી વધુ
30 %
પહેલા આ પ્રમાણે હતો ઈન્કમ ટેક્સ સ્લેબ
આવક
ટેક્સ
2.5 લાખ સુધી
0%
2.5થી 5 લાખ
5%
5થી 10 લાખ
20%
10થી વધુ
30%
(મહત્વનું છે કે નવી-જૂની બન્ને રીતે ભરી શકાશે ટેક્સ)
કરદાતાઓ પાસે આ છે બે વિકલ્પ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે કરદાતાઓ પાસે બે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. માની લો તમારી આવક 10 લાખ રૂપિયા વાર્ષિક છે. જેમાં પહેલા વિકલ્પ પસંદ કરી તમે 5 લાખ સુધીની આવકમાં ટેક્સ ફ્રી કરી બાકીની ટેક્સેબલ આવક પર સ્લેબ અનુસાર ચૂકવણી કરી શકો છો. આ હેઠળ તમને 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા, 7.5 લાખથી 10 ટકા પર 15 ટકા, 10થી 12.5 લાખની આવક પર 20 ટકા, 15 લાખથી વધુ પર 30 ટકા ભરવો પડશે. જ્યારે બીજા વિકલ્પમાં તમે ટેક્સને જૂની વ્યવસ્થા અનુસાર પસંદ કરી શકો છો. આ હેઠળ તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો 2.5 લાખ સુધી આવક ટેક્સ ફ્રી રહેશે, પરંતુ તેના પરની આવક પર ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું પડશે. જોકે, વિકલ્પ પસંદ કરવા માટે તમારે તમારી કંપનીને જણાવવું પડશે.
ટેક્સને લઇને કોઇને હેરાન નહીં કરાયઃ નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સને લઇને કોઇને હેરાન નહીં કરવામાં આવે. કાયદા હેઠળ કરદાતા ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મનમાંથી ટેક્સને લઇને ડર ખતમ કરવામાં આવશે. ટેક્સ કલેક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મળીને સરકાર કરદાતાઓને હેરાનગતીથી બચાવશે. ત્યારે, ટેક્સની ચોરી કરનારાઓ માટે કાયદો કડક કરવામાં આવશે.
કરદાતાઓ જૂની રીતે પણ ટેક્સ ભરી શકે છે
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આમાં કોઈ ડિડક્શન સામેલ નથી, જે ડિડક્શન લેવા માંગે છે તે જૂના દરથી ટેક્સ ભરી શકે છે. એટલે કે ટેક્સપેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા હશે. કરદાદા જૂની રીતે પણ ભરી શકશે.