બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે બીએસએફ જવાનોએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નોંધનીય છે કે, મોડી રાતે 1 વાગ્યે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ભારતમાં ઘૂસણખોરી કરતો પાકિસ્તાની ઠાર
BSFએ ઘૂસણખોરને રોકવા કર્યો હતો પ્રયાસ
તારની ફેન્સિંગ તોડી ઘૂસવાનો કરતો હતો પ્રયાસ
આપને જણાવી દઇએ કે, યુવક બેરીકેડ પાસે આવ્યો ત્યારે બીએસએફએ તેને ચેતવણી આપી પણ તે માન્યો નહીં બીએસએફની ચેતવણીને સતત અવગણતો રહ્યો. અંતે તે બીએસએફ જવાનો દ્વારા સતત આપવામાં આવતી ચેતવણીને નજર અંદાજ કરીને બેરીકેડ પાર કરવાનો પ્રયાસ કરતા બીએસએફ દ્વારા આ ઘુસણખોર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેના કારણે તે ઘવાયો યુવકનું બેરીકેડ નજીક મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચાર રાઉન્ડ ફાયર અને ત્રણ ગોળીઓ ઘુસણખોરને વાગી હતી.
સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી તપાસ
મોડી રાત્રે પાકિસ્તાનથી રાજસ્થાન થઈને ભારત તરફ સરહદ પાર કરવાની કાવતરું કર્યા બાદ એજન્સીઓ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ યુવક કઇ દિશામાં આવીને બેરીકેડ પાર કરી રહ્યો હતો. જાણકારોના મંતવ્ય પ્રમાણે પાકિસ્તાન ઇરાદાપૂર્વક ભારતની સુરક્ષા પ્રણાલીની તપાસ માટે આવા પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે. તેની પાછળ કોઈ મોટા ષડયંત્રની પણ સંભાવના છે.
કંટ્રોલ લાઇન પર પાકિસ્તાનની ગોળીબાર અંગે ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. શુક્રવારે જ્યારે પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું ત્યારે સેનાએ પણ સામે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં, લોન્ચપેડ્સને નિશાન બનાવતા આ હુમલામાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાને કર્યું સીઝ ફાયર ઉલ્લંઘન
પાકિસ્તાની મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે ભારત દ્વારા આટલું ભારે શેલિંગ ક્યારેય કરવામાં આવ્યું નથી. એક અહેવાલ મુજબ શનિવારે સવારે 4 વાગ્યે મોર્ટાર અને મધ્યમ રેન્જની આર્ટિલરી પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને એક દિવસ અગાઉ નૌગમ અને તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ તોપમારામાં કુપવાડા જિલ્લાના છ નાગરિકો ઘાયલ થયા હતા. જવાબોમાં સેનાએ પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું હતું.
ઘૂસણખોરી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે આતંકીઓ
સુરક્ષા એજન્સીઓએ થોડા દિવસો પહેલા ચેતવણી આપી હતી કે એલઓસી પર 300 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર છે. આ આતંકીઓ કાશ્મીર ખીણમાં ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેઝ અને જમ્મુમાં સામ્બા અને રાજૌરી-પૂંચની સરહદમાં હાજર છે.
સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની યોજના
ઇનપુટમાં કહેવામાં આવ્યું હતું કે આ આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની યોજના ધરાવે છે. તાજેતરના સમયમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.