બૂસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમા જે લોકોના શરીરમાં એન્ટીબોડી નથી બનતી તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.
બૂસ્ટર ડોઝને લઈને ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી શક્યતા
એન્ટીબોડી નથી બનતી તેને અપાશે બૂસ્ટર ડોઝ
20 ટકા લોકોમાં એન્ટીબોડી નથી બનતી તેવો રિસર્ચમાં દાવો
કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઘણા લોકોમાં એન્ટીબોડી લેવલ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે. વેક્સિનને કારણે મોટા ભાગના લોકોમાં એન્ટીબોડી તૈયાર તો થઈ જાય છે. પરંતુ અમુક લોકો એવા પણ છે કે જેમના શરીરમાં એન્ટીબોડી નથી બનતી. તો એક્સપર્ટ્સના કહેવા મુજબ તેવા લોકોને બૂસ્ટર ડોઝ લગાવામાં આવી શકે છે.
20 ટકા લોકોમાં નથી બની એન્ટીબોડી
વિશેષજ્ઞોનું કહેવું છે કે હજું પણ 20 ટકા લોકોના શરીરમાં વેક્સિન લીધા બાદ પણ એન્ટીબોડી તૈયાર નથી થઈ. ભુવનેશ્વરમાં આવેલ એક રિસર્ચ યૂનિટ દ્વારા 23 ટકા ફેકલ્ટીને વેક્સિનની બે ડોઝ આપવામાં આવી હતી. તેમ છતા તેમનામાં એન્ટીબોડી લેવલ નેગેટિવ હતી. જેથી ભુવનેશ્વર સ્થિત ઈન્સ્ટિટ્યૂટન ઓફ લાઈફ સાયન્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે લોકોને એન્ટીબોડી નથી બનતી તેમને બૂસ્ટર ડોઝ આપવા જેવો છે.
એન્ટીબોડીનું પ્રમાણ ઘટતા અપાશે બૂસ્ટર ડોઝ
આ ઈન્સ્ટિટ્યુટ ઈન્ડિયન SARS-Cov-2નો હિસ્સો છે. જે દેશભરમાં 28 પ્રયોગશાળા ચલાવે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ત્રણથી 6 મહિના પછી અમુક લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાં ઘટે છે, જેથી તે લોકોને બૂસ્ટર ડોઝની ખાસ જરૂર છે.
સરકાર મંજૂરી આપે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તેમનું ક્લિનિકલ સ્ટડજી અંતિમ ચરણ છે. ભારતમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિન લોકો લઈ રહ્યા છે. જેમાં 20 30 ટકા લોકોમાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ એન્ટિબોડી નથી બનતી. હાલ બૂસ્ટર ડોઝ પર રોક લગાવામાં આવી છે. પરંતુ તેમની વિનંતી બાદ હવે બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.