દીવના દરિયામાં એક બોટે જળસમાધિ લીધી છે. વણાંકબારાના દરિયામાં બોટે જળસમાધિ લીધી છે. દરિયામાં પવનના કારણે મોજાનું પાણી ભરાતા બોટ ડૂબી ગઇ છે. બોટમાં રહેલા 8 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય બોટના માછીમારોએ આ ખલાસીઓને બચાવી લીધા છે.
દીવના દરિયામાં એક બોટે જળસમાધિ લીધી
વણાંકબારાના દરિયામાં બોટે લીધી જળસમાધિ
દરિયામાં પવનના કારણે મોજાનું પાણી ભરાતા બોટ ડૂબી
દીવના વણાંકબારાના 40 નોટિકલ માઇલ દૂર દરિયામાં શિવ પરમાત્મા બોટ ડૂબી હતી. આ બોટમાં માછીમારી કરવા ગયેલા 8 ખલાસીઓ સવાર હતા. જોકે અન્ય બોટ દ્વારા તમામને બચાવી લેવાયા છે. દરિયામાં ભારે પવનના કારણે બોટમાં દરિયાનું પાણી ભરાવા લાગ્યું હતું. જેને લઇને બોટે જળસમાધિ લીધી હતી.
મહત્વનું છે કે ગત અઠવાડીયામાં બેટ દ્વારકાના જહાજે મધદરિયે જળસમાધિ લીધી હતી. અલ રહેમાની નામનું જહાજ મધદરિયે ડૂબ્યું હતું. ઓખાથી 80 નોટીકસ માઇલ દૂર દરિયામાં જહાજે જળસમાધિ લીધી હતી. જહાજમાં ગાબડું પડતા તેમાં પાણી ભરાઇ ગયું હતું. જોકે જહાજમાં સવાર 10થી વધુ ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ખલાસીઓએ ફિશિંગ બોટને સિગ્નલ આપતા તેમને સુરક્ષિત બચાવ્યા હતા.