ઉત્તર પ્રેદશના બારાબંકીમાં બોટે પલટી મારી; દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, અન્ય લોકોને બચાવી લેવાયા
ઉત્તર પ્રેદશના બારાબંકીમાં બોટએ પલટી મારી
દુર્ઘટનામાં ત્રણ બાળકોના મોત
બોટમાં બે ડર્ઝનથી વધુ લોકો હતા સવાર
ઉત્તર પ્રેદશના બારાબંકીમાં બોટએ પલટી મારી ગઈ છે. જે દુર્ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા છે આ દુર્ઘટના સુમલી નદીમાં બની છે. ગ્રામના કેટલાક લોકો બાજુના ગામમાં દંગલ દેખવા જતા ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાં લગભગ બે ડઝનથી વધુ લોકો સવાર હતા. આ દુર્ઘટમાં બૈરાણા મઉ મઝરી ગામમાં બની છે. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી છે જેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
બોટ પલટી મારતા ત્રણના મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટો અકસ્માત થયો છે. જ્યાં સુમલી નદીમાં બોટ પલટી મારી છે. આ ઘટનામાં ત્રણ બાળકોના પાણીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. બોટ પર સવાર થઈ બાજુના ગામમાં 2 ડઝનથી વધુ લોકો દંગલ જોવા જતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાંથી ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયાં છે તેમજ અન્ય લોકોને બચાવી લેવાયાં છે. દુર્ઘટના સર્જાતા સ્થળ પર લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. જે સમગ્ર દુર્ઘટના મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશનની હદમાં છે.
બોટએ સંતુલન ગુમાવતા અકસ્માત
પોલીસના જણાવ્યું અનુસાર સમગ્ર ઘટના સુમલી નદીમાં બૈરાના મઉ મઝારી ગામમાં બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર નદી પાર કરતી વખતે બોટએ સંતુલન ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર દુર્ઘટનાની જાણકારી મળકા સ્થળ પર ક્લેક્ટર એસપી સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુ પામનાર બાળકો વિશે જાણકારી મળેવી રહ્યાં છીએ, જે જાણકારી મળતાની સાથે જ પરિવારોને સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બાળકોના મૃતદેહોનું પીએમ કરવામાં આવશે અને બોટ પલટવાનું મુખ્ય કારણ ગ્રામજનો જણાવી રહ્યાં છે કે, બોટની ક્ષમતાથી વધુ લોકોને બેસાડવામાં આવ્યાં હતાં.