BMCએ એક્ટર અરબાઝ ખાન અને સોહેલ ખાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોરોના ગાઇડલાઇન્સ તોડવાના આરોપમાં BMC(બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આ બન્ને એક્ટર અને સોહેલ ખાનના દીકરા નિર્વાન ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ લોકો પર BMCને ખોટી માહિતી આપવાનો આરોપ છે.
અરબાઝ અને સોહેલ ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ
તાજ હોટલમાં ક્વોરેન્ટાઇન બતાવીને ઘરે ચાલ્યા ગયા હતા
BMCને ખોટી માહિતી આપવાનો આરોપ
બૉલિવુડ એક્ટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેમની દીકરા નિર્વાન ખાન વિરૂદ્ધ BMCએ ફરિયાદ દાખલ કરી છે. આ લોકોએ મુંબઈ એરપોર્ટ પર કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું છે. BMCના જણાવ્યા અનુસાર, અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેમની દીકરા નિર્વાન ખાન 25 ડિસેમ્બરે દુબઈથી આવ્યા હતા. એરપોર્ટથી હોટલ તાજ લૈન્ડ્સ એન્ડની બુકિંગ થવાની વાત કરીને આ ત્રણે ત્યાંથી બહાર નીકળ્યા. આ ત્રણેયે BMCને સોગંદનામું આપ્યું કે તેઓ ખુદને તાજ હોટલમાં ક્વોરન્ટાઇન કરશે, પરંતુ તાજ હોટલમાં ક્વોરન્ટાઇન થવાના બદલે સીધા આ લોકો બાંદ્રા પોતાના ઘરે ચાલ્યા ગયા.
મળતી માહિતી અનુસાર, કલમ 188 અને 269 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેસમાં અંદાજિત એક અઠવાડિયા સુધી તપાસ ચાલી છે અને ત્રણેયના નિવેદન બાદ બેદરકારી સામે આવ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે.
Brihanmumbai Municipal Corporation (BMC) registers FIR against actor Sohail Khan & his son Nirvaan as well as actor Arbaaz Khan for violating COVID norms. They returned from Dubai on 25th Dec & were asked to remain in quarantine in a hotel but they went home: BMC. #Maharashtra
BMCએ બન્ને એક્ટર સહિત સોહેલ ખાનના દીકરા નિર્માન ખાન વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. આનાથી એ નક્કી થાય છે કે, સોહેલ અને અરબાઝની મુશ્કેલી વધવાની છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ સ્ટાર્સને માસ્ક ન લગાવવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે મામલો ગંભીર નજરે આવી રહ્યો છે. આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે તો સમય આવ્યે જ ખબર પડશે. હાલ આ મામલે સલમાન ખાનની કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી.