છોટુ વસાવા `વસવસો' કરતા રહ્યા; ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ ઝઘડિયા બેઠક પોતાને નામે કદી કરી શકી ન હતી, આ વખતે ભાજપનો વિજય થયો
ઝઘડિયામાં ભાજપનો વિજય
કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજયધ્વજ
ઘરના ઝઘડામાં ઝઘડિયા ગુમાવ્યું
છોટુ વસાવા `વસવસો' કરતા રહ્યા
ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક છોટુ વસાવાનો ગઢ માનવામાં આવતો હતો. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ આ બેઠક પોતાને નામે કદી કરી શકી ન હતી. પરંતુ આ વખતે સમયનું ચક્ર ફરી ગયું અને ભાજપના છોટુ વસાવાના ગઢ એવા ઝઘડિયાને ભેદવામાં ભાજપ સફળ રહ્યો ત્યારે છોટુભાઈ વસાવાના ગઢને ભેદવામાં ભાજપની મળેલી સફળતાના કારણોની કેવા છે
કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજયધ્વજ
આપણા રાજ્યના આદિવાસી પટ્ટાના મતદારોનો મિજાજ દરેક પક્ષ માટે એક કોયડો બની રહ્યો છે. પરંતુ આ આદિવાસી પટ્ટામાં પોતાની જગા બનાવવા માટે તમામ રાજકીય પક્ષો દર વખતે છોટુ વસાવા તરફ નજર દોડાવતા હોય છે કેમ કે આ વિસ્તારની નાડ પારખી ગયેલા છોટું વસાવા સાત વખત ઝઘડિયા બેઠક પર ચૂંટાઈ ચૂક્યા છે. એટલે જ તો ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક છોટુ વસાવાનો ગઢ માનવામાં આવતો હતો. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ આ બેઠક પોતાને નામ કદી કરી શકી ન હતી. પરંતુ આ વખતે સમયનું ચક્ર ફરી ગયું અને ભાજપના છોટુ વસાવાના ગઢ એવા ઝઘડિયાને ભેદવામાં ભાજપ સફળ રહ્યો. ભાજપ દ્વારા વધુ સીટો જીતવાના ઇતિહાસ સાથે ઝઘડિયા બેઠક જીતવાનો પણ ઇતિહાસ રચાઈ ગયો છે.
છોટુ વસાવા `વસવસો' કરતા રહ્યા
આપને જણાવી દઈએ કે, છોટુ વસાવા 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. 1995, 2017ના અપવાદને બાદ કરતાં અહીં મોટા ભાગે છોટુ વસાવા તથા કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે મુકાબલો રહ્યો છે ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. પરંતુ આ વખતે સમયનું ચક્ર ફરી ગયું. આ વખતે ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેષકુમાર વસાવા 89,933 મત મેળવ્યા હતા. બીજા નંબરે છોટુ વસાવાએ 66,185 મત મેળવ્યા હતા.જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊર્મિલાબહેન ભગતને 19,722 મત અને ચોથા નંબરે કૉંગ્રેસના ઉમેદવાર ફતેસિંહ વસાવાને 15,219 મત મળ્યા હતા. છોટુ વસાવા માટે આંચકાજનક આ પરિણામનું કારણ રાજકીય વિશ્લેષકો છોટુ વસાવાનો પારીવારિક કલહ ગણાવી રહ્યા છે
જો કે, સ્થાનિકો લોકોનું કહેવું છે કે છોટુ વસાવના અંગત લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતથી જ ભાજપમાં ભળી ગયા હતા જેના કારણે પ્રથમ વખત ભરૂચમાં ઝઘડીયા વિધાનસભા બેઠકમાં આવતી ત્રણ તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ હતી. ત્યાર બાદ છોટુ વસાવાએ સ્થાનિક વિકાસના કામો તરફ ધ્યાન જ આપ્યું ન હતું. આથી વિધાનસભા ચૂંટણીમાં લોકો ભાજપ તરફ સરકી ગયા છે.