દેશના રાજનૈતિક ઈતિહાસમાં 6 એપ્રિલનું ખાસ મહત્વ છે, હાલ સૌથી મોટી પાર્ટી ભાજપનો સ્થાપના દિવસ છે.
આજે BJPનો સ્થાપના દિન
PM મોદી BJP કાર્યકર્તાને સંબોધશે
7થી20 એપ્રિલ સુધી કાર્યક્રમો યોજાશે
આજે 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી દેશભરમાં પોતાનો સ્થાપના દિન ઉજવણી કરશે. ત્યારે ઉજવણીના ભાગ રૂપે PM મોદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે. ભાજપના નેતા અરૂણ સિંહે એક પ્રેસ વાર્તા કરી હતી અને કહ્યું હતું કે બુધવારે સવારે 10 કલાકે પીએમ મોદી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ સાથે જ BJPના તમામ મંડળ,જિલ્લા કાર્યાલયોમાં ધ્વજારોહણ કરાશે તેમજ તમામ જિલ્લાઓમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. કાર્યક્રમોમાં પ્રદેશોના CM, મંત્રી, ધારાસભ્યો ભાગ લેશે.
ભાજપના મુખ્યાલય પર ધ્વજારોહણ થશે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ભાજપના મુખ્યાલય પર ધ્વજારોહણ કરશે, ભાજપના દિલ્લી મુખ્યાલયમાં રક્તદાન શિબિરનું પણ આયોજન થશે. BJP 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશમાં સામાજિક ન્યાય સપ્તાહ ઉજવણી કરશે
7 થી20 એપ્રિલ દરમિયાન કેન્દ્રની જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરાશે
14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જયંતિ પર બૂથ સ્તર પર કાર્યક્રમનું આયોજન કરશે
15 એપ્રિલે અનુસૂચિત જાતિના લોકોએ સમાજ માટે કામ કર્યુ છે તેમનું સન્માન કરાશે
'6 એપ્રિલથી 20 દિવસ સુધી યાત્રા સમગ્ર ગુજરાતમાં યોજાશે: ભાજપ યુવા મોરચા પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટ
ભાજપ યુવા મોરચા પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટનું નિવેદન આપતા જણાવ્યું કે આખા ગુજરાતમાં આ દિવસની રેલી રુપે ઉજવણી કરવામાં આવશે. 6 એપ્રિલે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. ઇન્ડિયા કોલોનીથી સુરત સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ યાત્રામાં 75 બાઇક અને ટેબ્લો સાથે રેલીનું આયોજન કરાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
શા માટે ભાજપના સ્થાપના દિવસની કરાય છે ઉજવણી ?
મહત્વનું છે કે 6 એપ્રિલ 1980થી ભારતની સત્તાધારી પાર્ટીનો અસ્તિત્વમાં આવી હતી. શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. 1977માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપ્ના કરી. બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી. વર્ષ 1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે ૧૯૯૯માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ હતી.બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા હતા.
એલ સમયે પાર્ટીને 2 સીટ મળી હતી
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સમયમાં પાર્ટીને ફક્ત 2 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. પાર્ટીની સ્થાપનાને 41 વર્ષ પુરા થઈ ચૂક્યા છે.
અટલ બિહારી વાજપાઈ ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈ ભાજપના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ભાજપની સફળતાની કહાની માટે આપણ ભારતીય જનસંઘ અંગે જાણવું પડશે. જનસંઘ વર્ષ 1952માં ચૂંટણી લડ્યુ અને કોંગ્રેસની જબજસ્ત લહેર છતાં 3 સીટ મળી હતી. 1957માં બીજી સામાન્ય ચૂંટણીમાં 4 સીટો મળી.
ભાજપ સત્તા પર આવી જો કે સરકાર લાંબા સમય સુધી ન ટકી
વર્ષ 1962માં ત્રીજી લોકસભા ચૂંટણીમાં 14 સીટો મળી. 1967માં ચૌથી લોકસભા ચૂંટણીમાં 35 સીટો. 1971માં સીટો ઘટીને 22 થઈ. એ બાદ ઈંદિરા ગાંધીએ ઈમરજન્સી લાગૂ કરતા. તેમને હરાવવા જનસંઘ સહિત તમામ પાર્ટીઓ ભેગી થઈ જનતા પાર્ટી બનાવી 1977માં છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં 295 સીટો મેળવી પહેલી વાર કોંગ્રેસને સત્તા પરથી હટાવી દેવાયી. જો કે સરકાર લાંબા સમય સુધી ન ટકી.
અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અટવાણીની મહત્વની ભૂમિકા રહી
વર્ષ 1980માં લોકસભામાં આની સીટો ફક્ત 31 થઈ ગઈ અને પાર્ટી વિખેરાઈ ગઈ, એ બાદ જનસંઘની વિચારધારાથી નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. પરંતુ 1984માં ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સીટો જ મળી. નવમી લોકસભા 1989માં 85, 1991માં 120,1996માં 161, 1998-99માં 182 અને 2009માં 116 સીટો મળી હતી. 90માં ભાજપને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અટવાણીની મહત્વની ભૂમિકા રહી.