કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ શનિવારનાં રોજ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને અનેક નાના દળોનું સત્તારૂઢ ગઠબંધન 21 ઓક્ટોબરનાં રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 240થી 250 સીટો પર જીત હાંસલ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે.
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડીયા કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની ઘટક
ભાજપ-શિવસેનાએ નાના મુદ્દાઓને ટાળી પોતાની તાકાતે સીટોની વહેંચણી કરવીઃ અઠાવલે
અઠાવલેએ એમ પણ કહ્યું કે, ભાજપ (BJP) અને શિવસેના (Shiv Sena) એ નાના મુદ્દાઓને ટાળવા જોઇએ અને પોતાની તાકાતનાં આધાર પર સીટોનાં ભાગલાં પાડવા જોઇએ અને સાથે મળીને ચૂંટણી લડવી જોઇએ. અઠાવલેની રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડીયા કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિકની ઘટક છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પહેલા જ જાહેરાત કરી ચૂક્યાં છે કે બંને દળ સાથે મળીને ચૂંટણી લડશે.
નાના સહયોગીઓને મળશે 18 સીટો
અઠાવલેએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'મહાયુતિ (મહાગઠબંધન) માં નાના સહયોગીઓને 18 સીટો મળવાની છે. જેમાં 10 સીટો પર આરપીઆઇ ચૂંટણી લડશે. હું ફડણવીસ અને ઠાકરે સાથે વાત કરીશ અને જોઇશ કે ભાજપ, શિવસેના અને અન્ય દળોની વચ્ચે સીટોનાં વહેંચણી થઇ જાય. અમે 240-250 સીટો પર જીત હાંસલ કરશે.'
સરકાર બનવા પર માંગ્યુ મંત્રીપદ
તેઓએ એવી પણ માંગ કરી કે આરપીઆઇને મહારાષ્ટ્રની આગામી સરકારમાં એક કેબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રીનું પદ મળે. રાજ્યમાં આ વખતે 21 ઓક્ટોબરનાં રોજ વોટીંગ 24 ઓક્ટોબરનાં રોજ મતગણતરી થશે.