અલ્પેશની વિકેટ ખેડવવાની વાતોમાં કોંગ્રેસ ઊંઘતી રહી ત્યાં ભાજપે કોંગ્રેસની બે વિકેટ ખેડવી નાખી. જવાહર ચાવડાના રૂપમાં મોટો દાવ રમી નાખ્યો. એટલું નહીં જવાહર ચાવડાને ભાજપમાં મંત્રી પદનું પણ સ્થાન અપાયું. ત્યારે અલ્પેશની વાતો વચ્ચે જવાહરની વિકેટથી કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડશે જુઓ આ ખાસ અહેવાલમાં.
છેલ્લા બે-ત્રણ દિવસોથી ઢોલ તો અલ્પેશ ઠાકોરના વાગી રહ્યા હતા કે ભાજપમાં જોડાશે, પરંતુ અલ્પેશના ઢોલ વાગતા રહ્યા અને જાન જવાહર ચાવડા અને પુરષામ સાબરિયાની નિકળી ગઈ. એટલું જ નહીં પરંતુ ભાજપમાં જોડાયાના એક જ દિવસમાં જવાહર ચાવડાને તો કેબિનેટ મંત્રીની ખુરસી પણ મળી ગઈ. જવાહર ચાવડાની સાથે-સાથે ભાજપના બે ધારાસભ્યો યોગેશ પટેલ અને ધર્મેદ્રશસહને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, પરંતુ જવાહર ચાવડાની વિકેટ કોંગ્રેસ માટે મોટો ફટકો છે. ત્યારે મંત્રી બનતાની સાથે જ જવાહરની પહેલી પ્રતિક્રિયા શું હતી તે પણ સાંભળો.
જવાહર ચાવડાની વિકેટ કોંગ્રેસ માટે કેમ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં વિલ રાદડિયા, કુંવરજી બાવળિયા બાદ જવાહર ચાવડાની મજબૂત વિકેટ ભાજપ ખેડવવામાં સફળ રહ્યું છે. જવાહર ચાવડા માણાવદર વિધાનસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ એક સમયનાં કોંગ્રેસના ધૂરંધર આગેવાન હતા.
આહીર સમાજ ઉપર તેમની મજબૂત પકડ છે. જવાહર ચાવડા માણાવદર, વંથલી, બાંટવા વિસ્તારમાં વિસ્તારમાં આહીર સમાજ ઉપરાંત , કોળી, મુસ્લિમ સહિતની ઈાર જ્ઞાતિના મતદારો પર સારી પ[ડ ધરાવે છે. એટલું જ નહીં પરંતુ ભાજપના જ એક સમયના ધૂરંધર આગેવાન અને મિનિસ્ટર રહી ચૂકેલા રતિભાઈ સુરેજાને પણ જવાહર બે વખત હરાવી ચૂક્યા છે.
આ ઉપરાંત ગત ચૂંટણીમાં જ નીતિનભાઈ ફળદુને પણ શિકસ્ત આપી ચૂક્યા છે. એટલે કે, જવાહર ચાવડાનું જુનાગઢ જિલ્લામાં પણ સારું એવું નામ છે. આવા દિગ્ગજ નેતાની વિકેટ ખેડવવી તે પણ લોકસભા ચૂંટણી સમયે સૌથી મોટો ફટકો છે. જોકે કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓની થતી અવગણનાનું પણ આ પરિણામ માનવામાં આવે છે. ત્યારે જોવું એ રહેશે કે, લોકસભા ચૂંટણીમાં જવાહરની વિકેટ ભાજપને જુનાગઢ જિલ્લામાં કેટલો ફાયદો કરાવી શકે છે તે જોવું રહ્યું.