યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌડાનો પરિવાર જ્યાં તેના પાર્થિવ શરીર આવવાની રાહ જોઈ રહ્યા છે. તો વળી કર્ણાટક ભાજપના એક ઘારાસભ્યે શરમજનક નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે.
યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌડાનો પરિવાર જ્યાં તેના પાર્થિવ શરીર આવવાની રાહ જોઈ રહ્યા છે. તો વળી કર્ણાટક ભાજપના એક ઘારાસભ્યે શરમજનક નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે, એક ડેડ બોડી ફ્લાઈટમાં વધારે જગ્યા રોકી રાખે છે.
ભાજપના ધારાસભ્યનું નિવેદન
કર્ણાટકના હુબલી ધારવાડ મત વિસ્તારમાંથી આવતા ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે કહ્યું કે, વિમાનમાં એક બોડીની જગ્યાએ 8થી 10 લોકોને બેસાડી શકાય. નવીનના પાર્થિવ શરીરને અહીં કેવી રીતે લાવી શકાય, તેના પર ચર્ચા થઈ રહી હતી, અને ભાજપના આ ધારાસભ્યએ ભાંગરો વાટ્યો હતો.
બેલાડે પત્રકારો સાથેની વાતમાં કહ્યું કે, સરકાર નવીનના પાર્થિવ શરીરને પાછો લાવવા માટે પ્રયાસો કરી રહી છે. યુક્રેન એક યુદ્ધગ્રસ્ત દેશ છે અને તેના વિશે સૌ કોઈ જાણે છે. પ્રયાસો થઈ રહ્યા છે અને જો શક્ય હશે તો ડેડબોડી પાછી આવશે.
જીવતા લોકોને પાછા લાવવા અધરૂ તો મૃતકો કેમ લાવવા
ભાજપ નેતાએ કહ્યું કે, જ્યારે જીવિત લોકો પાછા લાવવાનું પડકાર ભર્યું કામ છે, તો મૃતકને પાછા લાવવા તો બહું અઘરુ છે, એક ડેડબોડી ફ્લાઈટમાં બહું જગ્યા રોકી રાખશે.તેની જગ્યાએ 8થી 10 લોકો ફ્લાઈટમાં આવી શકે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી નવીનના પાર્થિવ દેહને પાછો લાવવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
રશિયાના હુમલામાં થયું મોત
21 વર્ષિય નવીન, જે ખારકીવમાં નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. એક કરિયાણાની દુકાન બહાર લાઈનમાં ઉભો હતો, ત્યારે જ એક સરકારી બિલ્ડીંગ પર ગોળીબાર થયો અને તે માર્યો ગયો.