વડોદરાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. જેમાં તેમણે વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે.
કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યુ
રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો
રાજીનામા પત્રમાં કેતન ઇનામદારે લખ્યું કે,
"હું સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂં છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'
વધુમાં તેમણે લખ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી મંત્રીશ્રીઓ અને સરકારશ્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું, પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારશ્રીને વારંવાર રજુઆતો કરવા છતા મંત્રીશ્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણતા એ મારા મતક્ષેત્ર પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યાર આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવેલ છે. અને ના છુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું."
કોંગ્રેસ કેતન ઇનામદારનો સંપર્ક કરી શકે છે
ભાજપમાં નારાજ ધારાસભ્યો પર કોંગ્રેસની નજર છે. ભાજપના વધુ કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે રાજીનામા મામલે અર્જૂન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપને તેનો અહંકાર નડી રહ્યો છે. ભાજપ પ્રજાની સ્થિતિ ધ્યાને નથી લેતી. ભાજપમાં કાર્યકર્તાઓને સન્માન નથી મળતું. ખોટા મુદ્દાઓને આધારે ભાજપ જીત મેળવી લે છે.
કોંગ્રેસ પ્રવક્તાએ રૂપાણી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો. હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છે. જેથી પોલીસી પેરેલિસિસ અને તંત્રની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ.
ઈનામદારના રાજીનામાનો મતલબ શું?
જ્યારે 2018માં વડોદરાના ધારાસભ્યો નારાજ થયા ત્યારે ભાજપે શું કર્યું?
સરકારના સ્તરે જ્યારે સંકલન કરવાની હૈયાધારણ અપાઈ હતી તેનું શું?
શું સત્તા મળ્યા પછી પ્રજાના કામો માટે પક્ષો સરકારથી દબાઈ જાય છે?
ધારાસભ્યો પોતાની રજૂઆત લઈને જાય તો મંત્રીઓ ખખડાવે છે?
શું સરકારના અધિકારીઓ ધારાસભ્યોની રજૂઆતોને કાને જ નથી ધરતા?
મતવિસ્તારના કામો માટે ધારાસભ્યોની સરળતાવાળી કોઈ વ્યવસ્થા ગોઠવાઈ નથી?
શું દરેક વખતે ધારાસભ્યો પણ ખોટી શંકાઓથી સરકાર ગ્રસ્ત છે?
કે ભાજપ પક્ષને આંખ લાલ કરીને સરકારને કહેવાની શક્તિ અક્ષીણ થઈ ગઈ છે?
સામાન્ય લોકોના પ્રતિનિધિઓની આ સ્થિતિ તો સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?