રાજસ્થાનમાં ધરિયાવદ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય ગૌતમ લાલ મીણાનું બુધવારે નિધન થયું છે. તે કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ઉદયપુરના એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પ્રતાપગઢ જિલ્લાની ધરિયાવદ વિધાનસભા સીટના ધારાસભ્ય મીણાની ઉદયપુરના એમબી સરકારી હોસ્પિટલમાં સરવાર ચાલી રહી હતી. જ્યાં બુધવારે સવારે તેમનું નિધન થઈ ગયું. ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા મીણાના પરિવારમાં પત્ની અને ચાર દિકરા છે.
ત્રણ વખત ધારા સભ્ય રહી ચુકેલા મીણાના પરિવારમાં પત્ની અને ચાર દીકરા છે.
વિધાનસભામાં નેતા ગુલાબચંદ કટારિયાએ મીણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 'તે પાછલા થોડી દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. છેલ્લા બે દિવસોમાં તેમની હાલત બગડી ગઈ અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.'
રાજસ્થાનમાં ગૌતમ લાલ મીણા સહિત ચાર ધારાસભ્યોના મોત કોરોના વાયરસ સંક્રમણથી થયા છે. આ પહેલા કોંગ્રેસ ધારાસભ્ય કૈલાસ ત્રિવેદી અને ગજેન્દ્ર શક્તાવત તથા ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરીનું નિધન આ ધાતક વાયરસના કારણે થઈ ચુક્યા છે.
धरियावद (प्रतापगढ़) से भाजपा विधायक श्री गौतमलाल मीणा के कोरोना संक्रमण से असामयिक निधन की जानकारी बेहद दुखद है। ईश्वर से प्रार्थना है कि शोकाकुल परिजनों, स्व. श्री मीणा के समर्थकों तथा मित्रों को यह आघात सहने की शक्ति दें एवं दिवंगत आत्मा को शांति प्रदान करें। #Rajasthan
મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિધાનસભા અધ્યક્ષ ડા સીપી જોશી અને ભાજપા પ્રદેશાધ્યક્ષ સતીશ પુનિયાંના ધારાસભ્ય મીણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 'ધરિયાવદથી ભાજપા ધારાસભ્ય ગૌતમ લાલ મીણાના કોરોના સંક્રણથી અણધાર્યુ નિધનની જાણકારી ખૂબ દુખદ છે. ઈશ્વરને પ્રાથના છે કે પરિવારના લોકો, મીણાના સમર્થકો તથા મિત્રોને આ આધાત સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે.'