બિહારની ચૂંટણીનો પહેલા ભાજપે પાર્ટી સંગઠનમાં કેટલાય મોટા ફેરફાર કર્યા છે. પાર્ટીના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી(સંગઠન) અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સહિત કેટલાય મોટા પદમાં ફેરફાર કર્યા છે.
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કરાયો
BJP અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની ટીમની કરી જાહેરાત
ગુજરાતના એક માત્ર સાંસદને મળ્યું સંગઠનમાં સ્થાન
ભાજપ દ્વારા કરવામાં આવેલા સંગઠનાત્મક ફેરફારો અંતર્ગત રામ માધવ, મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને જનરલ સેક્રેટરી તરીકે હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ દુષ્યંતકુમાર ગૌતમ, ડી પુરંદેશ્વરી, સીટી રવિ અને તરુણ ચૂગને નવા મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
જાણો કોને સોંપાઇ નવી જવાબદારી
આ સાથે જ યુવા સાંસદ તેજસ્વી સૂર્યાને ભાજપ યુવા મોરચાની જવાબદારી સોંપાઇ છે. ઓબીસી મોરચાના પ્રમુખ લક્ષ્મણ, લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે જમામલ સિદ્દીકી અને લાલ સિંહ આર્યને એસસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સમીર ઓરાંવને એસટી મોરચાની જવાબદારી સોંપાઇ છે.
રાધા મોહન સિંહ, મુકુલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીબેન શિયાળ, ડી.કે.અરૂણા, એમ ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટી નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે.
5 રાષ્ટ્રીય પ્રવક્તાની પણ નિમણૂંક
આ સાથે જ પાર્ટીએ 5 રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કર્યા છે. જેમાં અનિલ બલૂની, સંજય મયૂખ, ડો. સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને શાહનવાઝ હુસેનનું નામ સામેલ છે.
PM મોદીએ નવી ટીમને ટ્વીટ કરી આપી શુભેચ્છા
Congratulations and best wishes to the new team. I am confident they will uphold the glorious tradition of our Party of serving the people of India selflessly and with dedication. May they work hard to empower the poor and marginalised. https://t.co/5beiCTkcsA
ગુજરાતના એકમાત્ર સાંસદ ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે,ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે. તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય છે. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર જિલ્લાના તળાજાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. વ્યવસાયે તેઓ એક આયુર્વેદિક સલાહકાર છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર(લોકસભા મત વિસ્તાર)થી 16મી લોકસભાના સભ્ય બનવા માટે 2014માં સામાન્ય ચૂંટણી જીતી.