સંસદની કાર્યવાહીમાં ગુરુવારે 20 ધારાસભ્યો પહોંચ્યા નહીં, એમાં 17 સત્તારૂઢ ગઠબંધનના છે. બળવાખોર ધારાસભ્યોમાંથી 12 હાલ મુંબઇની એક હોટલમાં રોકાયા છે.
કર્ણાટકના રાજકારણમાં હજુ સુધી કંઇ સ્પષ્ટ થઇ શક્યું નથી. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળાની વચ્ચે સદનની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
વિધાનસભા ઉપાધ્યક્ષ કૃષ્ણા રેડ્ડીએ કોંગ્રેસ સભ્યો દ્વારા ભારતીય જનતા વિરુદ્ધ કરવામાં આવેલી નારાબાજી બાદ સંસદની કાર્યવાહી સ્થગિત કરી દીધી. જો કે એ સમય સુધી સદનમાં કુમારસ્વામી તરફથી વિશ્વાસ મત પર એમની વાત કહેવાની બાકી હતી.
ગૃહની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા, ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે તેમની પાર્ટીના સભ્ય આખી રાત ગૃહમાં જ રહેશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય થાય ત્યાં સુધી ગૃહમાં જ રહેશે. ગુરુવાર રાત્રે યેદિયુરપ્પા સહિત તમામ નેતા ગૃહમાં જ ઊંઘી ગયા. ભાજપના ધારાભ્યોનું ઊંધવાનું, ડિનક અને શુક્રવારે સવારે મોર્નિંગ વોક પણ સંસદમાં જ થયું.
#WATCH Bengaluru: K'taka BJP legislators go for a morning walk. They were on an over night 'dharna' at Vidhana Soudha over their demand of floor test. Karnataka Guv Vajubhai Vala has written to the CM,asking him to prove majority of the govt on floor of the House by 1:30 pm today pic.twitter.com/r8yygSyf4X
આ પહેલા ગુરુવારે સવારે વિધાનસભામાં કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે આજે હું એટલા માટે નથી આવ્યો કે એ પ્રશ્નો ભઠી રહ્યા છે કે હું ગઠબંધન સરકાર ચલાવી શકું છું કે નહીં. પરંતુ એના માટે અહીંયા છું કારણ કે વિધાનસભા સ્પીકર પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે વિપક્ષને સરકાર પાડવાની ખૂબ ઊતાવળ છે.
તો બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે અમે 101 ટકા આશ્વસ્ત છીએ. એ 100 થી ઓછા છે, અમે 105 છીએ. એમા કોઇ શંકા નથી કે એમની હાર થશે.