ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા એક વીડિયો સંદેશ જાહેર કર્યો. અડવાણીએ કહ્યું કે મારા દિલનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે તમામ ભારતીયો માટે ઐતિહાસિક દિવસ છે. અડવાણીએ કહ્યું કે ક્યારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સ્વપ્ન હોય છે.
રામ મંદિર પર બોલ્યા અડવાણી
મારા દિલનું સ્વપ્ન પૂર્ણ થયું
આજનો દિવસ ઐતિહાસિક
જેને પૂર્ણ થવામાં ઘણો સમય લાગે છે. રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું મેં સ્વપ્ન જોયું હતું. આજે મારા માટે અને તમામ ભારતીયો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.
ભારતીય જનતા પાર્ટીનું એક મિશન
રામ મંદિર આંદોલનમાં મહત્વનો ભાગ રહેલા ભાજપના વિરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટીનું એક મિશન રહેલું છે.
આ દરમિયાન અડવાણીએ 1990માં સોમનાથથી અયોધ્યા સુધી કાઢેલી રામ રથયાત્રાને પણ યાદ કરી. તેમણે કહ્યું કે જે પણ સાધુ સંતો અને નેતાઓએ રામ મંદિર નિર્માણ માટે યોગદાન આપ્યું છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું.
ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે આપ્યું નિવેદન
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ પૂરી થઈ છે. આખી અયોધ્યા નગરી સજી છે. રામ મંદિર તીર્થભૂમિ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મંદિરના નિર્માણમાં આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે 15 ઓગસ્ટ 1947 જેવો દિવસ છે. તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે આજે આખો દેશ ઉત્સાહિત અને આનંદિત છે. આ મારા માટે ઈતિહાસના પરિવર્તનનો કાળ છે.
કોરોનાનો કોઈ રંજ નથી, તે એક પ્રાકૃતિક મુશ્કેલી છેઃ ચંપત રાય
કોરોના મહામારીને લઈને ચંપત રાય માને છે કે અમને કોરોનાનો કોઈ રંજ નથી, એટલો જ આનંદ અને પ્રસન્નતાનો વિષય છે જેટલો હોવો જોઈએ. ભલે નાના રૂપમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય. પણ દેશની સુરક્ષા મહત્વની છે. આ એક પ્રાકૃતિક મુશ્કેલી છે જેનો અમને જરાય રંજ નથી. શઉભ મૂહૂર્તને લઈને તેઓએ કહ્યું કે આ મુદ્દે હું કંઈ કહેવા ઈચ્છતો નથી. 1984થી જોઉં છું જે આજે વિરોધ કરી રહ્યા છે તેઓએ પહેલાં પણ વિરોધ જ કર્યો હતો. તેઓ કોઈ કામને સારું માનતા નથી. આજે પણ તેઓ આ મૂહૂર્તની જ ચર્ચા કરી રહ્યા છે અને અમે તેનાથી પ્રભાવિત નથી.