ઉત્તર પ્રદેશમાં ભાજપના એક નેતાએ સલાહ આપી હતી કે, ધનતેરસના અવસર પર લોકો સોના-ચાંદીના આભૂષણ અથવા વાસણ ખરીદવાની જગ્યાએ તલવાર ખરીદો.
ભાજપના નેતાની લોકોને સલાહ
ધનતેરસ પર સોના-ચાંદીના આભૂષણ નહીં તલવાર ખરીદો
રામ મંદિરના ચુકાદા બાદ કામ આવી શકે
નેતાએ વધુમાં કહ્યું કે, અયોધ્યા મામલે ચુકાદો આવવાનો છે અને તેમને આશા છે કે, રામ મંદિરના પક્ષમાં જ આવશે. એટલે ત્યારબાદ ઉભી થયેલી સ્થિતિમાં શાંતિ સ્થાપવા અને પોતાની સુરક્ષા કરવા માટે હથિયાર કામમાં આવે.
ભાજપના અધ્યક્ષ ગજરાજ રાણાનું નિવેદન
નોંધનીય છે કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશના દેવબંધના નગર ભાજપ અધ્યક્ષ ગજરાજ રાણાએ આ વાત કરી હતી. જો કે, ભાજપના નેતાએ કહ્યું આ તેમની સલાહ છે અને તેને સલાહની રીતે જ માનવામાં આવે.
દૈવીય અનુષ્ઠાનોમાં થાય છે હથિયારોની પૂજા
રાણાએ કહ્યું- અમારે ત્યાં દૈવીય અનુષ્ઠાનોમાં હથિયારોની પૂજા કરવામાં આવે છે. અહીં સુધી અમારા દેવી-દેવતાઓએ પણ સ્થિતિ મુજબ હથિયારોનો ઉપયોગ કર્યો છે. રાણાએ કહ્યું- મારું નિવેદન વર્તમાન બદલતા પરિવેશના સમુદાયના સભ્યો તરફી છે.
ભાજપના નેતાએ અભિપ્રાય આપવાની પાડી 'ના'
નોંધનીય છે કે, આ વખતે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા ચંદ્રમોહનને પૂછવામાં આવ્યું તો તેમણે પોતોનો અભિપ્રાય આપવા નનૈયો ભણ્યો. તેમણે કહ્યું કે, જેમણે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે, પાર્ટીના જે પણ વ્યક્તિએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે. પાર્ટીને આ મામલે લેવાદેવા નથી.