અમદાવાદમાં સંત સંમેલન પછી ભાજપના ઋત્વિજ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો, તેઓએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી
ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત
ઋત્વિજ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ
અમદાવાદમાં કોરોનાના ઢગલા કેસ વચ્ચે સંત સંમેલન યોજાઇ ગયુ. આમ સરકાર એક તરફ કોરોના ગાઇડલાઇનનુ પાલન કરાવે. નિયમનો ભંગ કરનારને દંડ પણ કરે પરંતુ સંત સંમેલનમાં સરકારને ક્યાંય ભીડ ન દેખાઇ, ક્યાંય સામાજિક અંતરનો ભંગ ન દેખાયો. અને પરિણામે જેનો ડર હતો એજ થયુ. ભીડ ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપ્યુ એટલે કોરોના આવ્યા વગર રહે ખરો ? ત્યારે રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલન બાદ ભાજપના નેતા ઋત્વિજ પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને આ માહિતી આપી અને સાથે એમ પણ જણાવ્યુ કે મારા સંપર્કમાં આવેલા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લે.
અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.
અમદાવાદમાં સંત સંમેલન યોજાયા બાદ ભાજપના 4 નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા. આ સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
અન્ય નેતોઆમાં ફફડાટનો માહોલ
સંત સંમેલનમાં હજારોની સંખ્યામાં ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કોરોનાની જે સ્થિતિ છે તે જોતા ભીડ ભેગી થાય અને કોરોના વકરે નહી તેવુ તો બને જ નહી. પરિણામે એક બાદ એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જે જોતા હવે નેતાઓમાં ક્યાંક ડર જોવા મળી રહ્યો હતો .મહત્વનુ છે કે
સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત દિગ્ગજો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંત સંમેલન બાદ 40નેતાઓને કોરોના
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. રંગચંગે સંત સંમેલન યોજાઇ ગયુ પરંતુ હવે ધીરેધીરે સંમેલનનો રંગ જોવા મળી રહ્યો છે. આ સંમેલનમાં ભાગ લેનારા શહેર ભાજપના 40 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે..મહત્વનું છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..