બિહારના મુંગેર જિલ્લાના ભાજપ નેતા અરૂણ યાદવ અને તેની પત્નીની કથિત રીતે ગોળી મારવાથી મોત થયુ છે. અરૂણ યાદવ ભાજપના ઓબીસી મોરચાના નેતા છે જ્યારે તેની પત્ની પ્રીતિ મેયરના પદ માટે સંભવિત ઉમેદવાર હતી. ઘટનાની તપાસ ચાલી રહી છે.
ભાજપ નેતા અરૂણ યાદવ અને તેની પત્નીનુ થયુ મોત
નેતાએ પત્ની અને પોતાને મારી દીધી ગોળી
પોલીસ આ મામલાની કરી રહી છે તપાસ
ભાજપ નેતા અને તેની પત્નીના મોતથી આખા વિસ્તારમાં અરેરાટી
ભાજપ નેતા અને તેની પત્નીના મોતથી આખા વિસ્તારમાં હડકંપ મચ્યો છે. બધાના મોંઢા પર તેની મોતને લઇને સવાલ છે. ભાજપ ઓબીસી મોરચાના જિલ્લા મહામંત્રી અરૂણ યાદવના થોડા દિવસ પહેલા પ્રીતિ સાથે લગ્ન થયા હતા. અરૂણ યાદવના ત્રણ ભાઈ હતા. અરૂણ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેઓ પોતાના ઘરે મુંગેરના લાલ દરવાજા સ્થિત મકાન પર અરૂણ યાદવ પત્ની સાથે રહેતા હતા. પત્ની પ્રીતિ આ વખતે મુંગેર મ્યુનિસિપાલિટીમાં મેયર પદ માટે સંભવિત ઉમેદવાર હતી. સ્થાનિક લોકોએ ઘટના પાછળ પત્ની સાથે વિવાદ જણાવ્યો છે. તો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી
ઘટના ગુરૂવારની સાંજે છ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. સુચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રૂમનો દરવાજો તોડીને બંનેની લાશને બહાર કાઢી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી. પોલીસે ઘટનાસ્થળેથી આ વસ્તુઓ એકત્રિત કરી છે.