બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Hiralal
Last Updated: 10:18 PM, 22 June 2022
પહેલા કર્ણાટક, પછી મધ્ય પ્રદેશ અને હવે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં પણ હવે ધારાસભ્યોના બળવાનો ખેલ શરૂ થયો છે. શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ બળવાનું બ્યુગલ ફૂંક્યું છે. જેના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર સંકટમાં આવી ગઈ છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જે થયું તે મહારાષ્ટ્રમાં થયું તો ઉદ્ધવની સરકાર પણ પડી ભાંગશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. એક ધારાસભ્યના અવસાનને કારણે હજુ એક બેઠક ખાલી છે એટલે અત્યારે 287 ધારાસભ્યો છે. સરકાર રચવા કે તેને ચાલુ રાખવા માટે 144 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલ મહા વિકાસ આઘાડી સરકાર પાસે 153 ધારાસભ્યો છે. શિવસેનાના 55, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. જો કે એકનાથ શિંદેનો દાવો છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યો છે. જો આ બળવાખોર ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જશે તો મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર રચશે તે લગભગ નક્કી છે.
બળવાખોર ધારાસભ્યોની પહેલી પસંદ ભાજપ
હકીકતમાં બળવાખોર ધારાસભ્યોની પહેલી પસંદ ભાજપ જ રહે છે. આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષમાં 405 ધારાસભ્યોએ પોતાનો પક્ષ છોડી દીધો હતો. આમાંથી લગભગ 45 ટકા ધારાસભ્યો પાછળથી ભાજપમાં જોડાયા હતા. આ આંકડા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના છે. જેમાં વર્ષ 2016થી 2020 સુધીના પાંચ વર્ષમાં પાર્ટી છોડીને અન્ય પક્ષમાં જોડાનારા ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે માર્ચમાં એડીઆર રિપોર્ટ સામે આવ્યો હતો.
બળવાનો સૌથી મોટો ફાયદો ભાજપને મળ્યો સૌથી વધારે
- માર્ચ 2021 ના એડીઆર રિપોર્ટ બતાવે છે કે 2016 થી 2020 ની વચ્ચે, દેશભરની વિધાનસભાઓના 405 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જેમાંથી 182 એટલે કે 45 ટકા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
- રિપોર્ટ અનુસાર પાર્ટી છોડનારા ધારાસભ્યોમાંથી 38 એટલે કે 9.4 ટકા ધારાસભ્યો કોંગ્રેસમાં હતા. જ્યારે, તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં 25 ધારાસભ્યો જોડાયા હતા અને 16 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. નેશનલ પીપલ્સ પાર્ટીમાં 16, જેડીયુમાં 14, બીએસપી અને ટીડીપીમાં 11-11 ધારાસભ્યો જોડાયા હતા.
- બળવાનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને લાગ્યો છે. પાંચ વર્ષમાં કોંગ્રેસના 170 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી, જ્યારે ભાજપ પાસે આવા 18 ધારાસભ્યો હતા. બસપા અને ટીડીપીના 17-17 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. આ સાથે જ પાંચ વર્ષમાં શિવસેનાના એક પણ ધારાસભ્ય એવા નહોતા કે જેમણે પોતાની પાર્ટીને અલવિદા કહી દીધું હોય.
પક્ષ છોડી દીધો, પરંતુ સફળતાનો દર શું છે?
- સામાન્ય રીતે ધારાસભ્યોની પાર્ટી છોડવાની પ્રક્રિયા ચૂંટણી વર્ષ પહેલા અથવા ચૂંટણી પહેલા કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર ધારાસભ્યો વચ્ચે બળવાખોર બની જાય છે. આવું કર્ણાટક અને મધ્યપ્રદેશમાં થયું છે. આ વચ્ચે ધારાસભ્યો રાજીનામું આપી દે છે અને પછી બીજા પક્ષમાં જોડાઈને તેની ટિકિટ પર પેટા ચૂંટણી લડે છે.
પરંતુ જે ધારાસભ્યો પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય છે તેમની સફળતાનો દર કેટલો છે? તેમાંથી કેટલા જીતે છે?
એડીઆર અનુસાર 2016થી 2020 વચ્ચે 357 ધારાસભ્યો એવા હતા જેમણે એક જ સમયે અન્ય પાર્ટીમાં જોડાઈને વિધાનસભા ચૂંટણી લડી હતી. જેમાંથી માત્ર 170 એટલે કે 48 ટકા જ જીત્યા હતા. 48 ધારાસભ્યો એવા હતા જેમણે અન્ય પક્ષની ટિકિટ પર પેટા ચૂંટણી લડી હતી અને 39 એટલે કે 81 ટકા જીત્યા હતા.
- આંકડાઓ પર નજર કરીએ તો સમજી શકાય છે કે, જે ધારાસભ્યોએ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં ગયા બાદ પેટાચૂંટણી લડીને જીત મેળવી હતી, તેમની સફળતાનો દર ઘણો ઊંચો છે. જો કે, વિધાનસભાની ચૂંટણી લડી રહેલા બળવાખોર ધારાસભ્યોની સફળતાનો દર ઓછો છે.
ધારાસભ્યોનું શું, સાંસદોનું શું?
- પાર્ટી છોડનારા ધારાસભ્યોની ચર્ચા છે, હવે વાત કરીએ સાંસદોની પણ. પાંચ વર્ષમાં લોકસભાના 12 અને રાજ્યસભામાંથી 16 સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી. ભાજપના પાંચ લોકસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી, જ્યારે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી.
લોકસભા અને રાજ્યસભાના સાંસદોના બળવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો થયો. પાર્ટી છોડનારા 5 લોકસભા સાંસદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. જ્યારે, રાજ્યસભાના 10 સાંસદો ભાજપમાં જોડાયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army