ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોની ધૂલાઇવાળા રાહુલ ગાંધીનાં નિવેદન બાદ રાજનૈતિક વાતાવરણ ગરમાયું છે. શનિવારે ભાજપે આ બાબતને લઇને ફરી એકવાર રાહુલ ગાંધી પર તીખાં પ્રહારો કર્યાં હતાં.
ભારતીય સૈનિકો પર રાહુલની વિવાદસ્પદ ટિપ્પણી
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કર્યાં તીખા પ્રહારો
રાહુલ પર સશસ્ત્ર બળોનું મનોબળ તોડ્યા હોવાનો આક્ષેપ
ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોની ધૂલાઇવાળા રાહુલ ગાંધીનાં વિવાદસ્પદ નિવેદનને કારણે રાજનીતિમાં વાતાવરણ ગરમાયું છે. આજે એટલે કે શનિવારે ફરી આ મુદે રાહુલ ગાંધી પર ભાજપ દ્વારા પ્રહારો કરવામાં આવ્યાં છે. ભાજપે કહ્યું કે આવી ટિપ્પણી કરવાવાળા રાહુલ ગાંધીને કોંગ્રેસે તરત જ પાર્ટીની બહાર કાઢી દેવા જોઇએ.
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાનાં તીખા પ્રહારો
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે જો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટથી સંચાલિત નથી થતાં અને જો વિપક્ષી દળ દેશની સાથે ઊભેલ છે તો રાહુલ ગાંધીને તેની ટિપ્પણીઓ માટે કાઢી દેવા જોઇએ,જેણે ભારતનું અપમાન કર્યું છએ અને સશસ્ત્ર બળોનું મનોબળ તોડ્યું છે.
BJP slams Congress leader #RahulGandhi over his demotivating remarks on Indian Army jawans in Arunachal Pradesh; party spokesperson @gauravbh says whenever country's army displays valor and courage, it brings a moment of pride for fellow citizens. pic.twitter.com/PGpK7GrIX6
સશસ્ત્ર બળોનું મનોબળ તોડ્યા હોવાનો આક્ષેપ
ભાટિયાએ રાહુલ ગાંધીની તુલના કન્નૌજનાં રાજા જયચંદ સાથે કરી કે જેને ઇતિહાસમાં ભારતથી ગદ્દારી/દગો કરનાર વ્યક્તિ કહેવાયો છે. ભાટિયાએ આરોપ લગાવ્યો કે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સશસ્ત્ર બળોનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરે છે. પછી તે પાકિસ્તાનમાં આતંકવાદી શિવિરો પર સર્જિકલ સ્ટ્રાઇક હોય કે હવાઇ હુમલો હોય કે ગલવાન ઘાટીમાં અથડામણ હોય જેમાં 20 જવાન શહીદ થઇ ગયાં હતાં. આ મુદે ભાજપ અધ્યક્ષે કહ્યું કે રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર સશસ્ત્ર બળોનાં હુમલાનાં પુરાવાઓ માંગ્યા હતાં જ્યારે ગલવાન અથડામણ બાદ તેમણે પ્રધાનમંત્રીને સરેન્ડર મોદી કહ્યું હતું.
પોતાના નિવેદન માટે માફી માંગવી જોઇએ-ભાટિયા
તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાને પોતાના આ નિવેદન માટે દેશની માફી માંગવી જોઇએ. માફી માંગવાથી તેમના પાપ ધોવાશે નહીં પરંતુ તેનાથી એ તો દેખાશે કે તેમને પોતાની ભૂલની અનૂભુતી થઇ ગઇ છે.
भारत से इतनी नफरत क्यों? सेना से इतनी जलन क्यों?
न भारतीय सेना को कोई पीट पाया न पीट पाएगा। देश की सेना का मनोबल मत तोड़ो
जनता कह रही है की पिटे हुए मोहरे तो तुम हो #BraveIndianArmypic.twitter.com/uPJvaoDYxI
રાહુલનું આ નિવેદન છે ચર્ચામાં
રાહુલ ગાંધીએ શુક્રવારે જયપુરમાં પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યો છે અને સરકાર સૂતી છે અને ભયને નજરઅંદાજ કરી રહી છે. અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીની જવાનોની વચ્ચે થયેલ અથડામણનાં સંદર્ભમાં તેમણે કહ્યું કે ક્ષેત્રમાં ભારતીય જવાનોની ધૂલાઇ કરવામાં આવી રહી છે. ભાટિયાએ પત્રકારોને આ મુદે જણાવ્યું કે જો કોંગ્રેસ પોતાના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધીની સામે કોઇ કાર્યવાહી નથી કરતી તો તેનો અર્થ એ છે કે તેમના નિવેદન વિપક્ષની માનસિકતાને દર્શાવે છે.