પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે ટ્વિટર પોતાના ઓફિસીયલ એકાઉન્ટ પર એક વખાણવા લાયક ટ્વિટ કર્યુ છે. જેમાં તેઓએ ગુજરાતી નહીં ભારતીય બનવાનો સુંદર વિચાર ટ્વિટર પર રજૂ કર્યો છે. સમાજના વાડાઓમાંથી મુક્ત થવા માટેનો સારો વિચાર રજૂ કર્યો છે.
સોશિયલ મીડિયા (Social media) પર ફરતા થયેલા મેસેજને આધારે તેમને પોતાનો આ વિચાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયામાં સમાજની વાડી બનાવવાના મેસેજને પણ એક અલગ જ અંદાજમાં રજૂ કર્યો છે. સમાજની વાડીઓના બદલે ભારત માતાનું (Bharatmata) મંદિર (temple) કાશ્મીરમાં બનાવવાની માંગ કરી છે તેમજ દરરોજ રાષ્ટ્રગાન કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાકલ કરતો સંદેશ પણ પાઠવ્યો છે.
તેમને ટ્વિટ કરતા કહ્યું કે, 'કોઇને કાશ્મીરમાં પટેલ સમાજની વાડી બનાવી છે, તો કોઇને લોહાણા સમાજ, તો કોઇને બ્રહ્મ સમાજ તો કોઇને મરાઠા સમાજ, તો કોઇને ફાફડા જલેબીની દુકાન તો કોઇને દાબેલીની રેંકડી... આ જ છે...આપણી માનસિકતા તરત જ હિંદુ ધર્મમાંથી નાતજાત અને ભેદભાવ ઉપર ઉતરી જઇએ છીએ. એનો જ લાભ 550 વર્ષ સુધી મોઘલોએ લીધો. ત્યાર બાદ અંગ્રેજોએ 300 વર્ષ સુધી...નાતજાત છોડો, એક થાઓ, બ્રાહ્મણ, વાણીયા, લોહાણા, દરબાર, સુથાર નહીં.
કાઠિયાવાડી નહીં, ગુજરાતી નહીં, ભારતીય બનો... અને સ્વર્ગ સમાન કાશ્મીરમાં સુંદર એવું વિશ્વ પ્રસિદ્ધ ભારતમાતાના મંદિરનું નિર્માણનું આયોજન થાય કે જ્યાં દરરોજ ભારતમાતા તથા કાશ્મીર માટે મોતને વ્હાલું કરનાર તમામ વીરોને રોજ શ્રદ્ધાંજલિ આપી શકાય તેવી વ્યવસ્થા કરી રોજ રાષ્ટ્રગીતની ધૂન પર દેશભક્તિના નારા ગુંજે તેવી વ્યવસ્થાની માંગણી થવી જોઇએ...'