ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સામ પિત્રોડા દ્વારા એર સ્ટ્રાઈક ઉપર કરવામાં આવેલ નિવેદનને વખોડયું હતું, અને તેમણે સામ પિત્રોડાના નિવેદન પર અનેક સવાલ ઉઠાવ્યા છે અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સવાલ કર્યા હતા.
અમિત શાહે સામ પિત્રોડાના વિવાદિત નિવેદનને લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, દેશમાં જ્યારે સામાન્ય ચૂંટણીઓ વધુ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે દેશના મતદારોમાં દેશની સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે. તેવા સમયે કોંગ્રેસના વિદેશી મુદ્દાઓના પ્રભારી સામ પિત્રોડાનું નિવેદન આવ્યું, આ બહુજ દુર્ભાગ્યપૂર્ણ છે. વોટબેંકની રાજનીતિ ન કરો.
અમિત શાહે કોંગ્રેસને પૂછ્યા સવાલો
1. અમિત શાહે કોંગ્રેસને સવાલ પૂછતા કહ્યું કે શું કોંગ્રેસ પાર્ટી પુલવામા જેવા જઘન્ય હુમલાને સામાન્ય ઘટના માને છે?
2. કેટલાક લોકોની હરકતોથી કોઇ આખા દેશને દોષીત ન માનવો જોઇએ, શું કોંગ્રેસ પાર્ટી માને છે કે જે આતંકવાદી ઘટનાઓ થાય છે તેનો પાકિસ્તાન સાથે સંબંધ છે કે નહીં, એ સ્પષ્ટ કરો. જો સંબંધ છે તો દોષીત કોણ?
3. આતંકવાદી હુમલાનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી ન આપવો જોઇએ, વાતચીતથી આપવો જોઇએ, શું આ કોંગ્રેસ પાર્ટીની આતંકવાદને ડીલ કરવાની નીતિ અધિકૃત છે?
4. જ્યારે દેશમાં આ પ્રકારના આતંકવાદી હુમલા થાય છે, દેશના નાગરિકોને અસર થાય છે, દેશના જવાન શહીદ થાય છે અને કોંગ્રેસ પાર્ટી અને તેમના નેતાઓ વાતચીતનો રસ્તો બતાવે છે, જેનાથી કોંગ્રેસ પાર્ટી સહમત છે?