ન્યૂ દિલ્હીઃ દેશનાં રેલ્વે સ્ટેશનો પર એટીએમની સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો છે. રેલ્વે મંત્રાલયે એવો નિર્ણય કર્યો છે કે તે બેંકોમાંથી હવે સ્ટેશનો પર એટીએમ લગાવવાનો કોઇ જ ખર્ચ નહીં લે. સ્ટેશનો પર એટીએમની ઉણપને જોતા રેલ્વે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. આ સંબંધમાં દરેક ઝોનને નિર્દેશ જારી કરી દેવાયાં છે.
અત્યારે રેલ્વે સ્ટેશનો પર એટીએમ લગાવવા માટે રેલ્વે તરફથી તે જગ્યાનાં બજારની કિંમતનાં છ ટકાનાં બરાબર ભાડાંને વસૂલવામાં આવે છે. આ સાથે જ તેમાં વાર્ષિક સાત ટકાનાં દરથી વધારો કર્યો છે. આનાંથી સ્ટેશનો પર એટીએમ લગાવવામાં બેંકોનો લગાવ ઓછો થઇ ગયો છે. એ કારણ છે કે છેલ્લાં 10 વર્ષોમાં પસંદ કરાયેલા પ્રમુખ રેલ્વે સ્ટેશનો પર કુલ એક હજાર એટીએમ લાગી શકે છે.
દેશમાં લગભગ સાડા સાત હજાર રેલ્વે સ્ટેશનોને જોતા આ સંખ્યા ખૂબ ઓછી છે. આનાંથી સ્ટેશન પર ખાવા-પીવાનાં સામાન તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓની ખરીદીને સમયે યાત્રીઓને અનેક વાર નજીકની અછત સામે ઝૂઝવું પડે છે. આ સંબંધમાં અનેક યાત્રિઓએ મંત્રાલયમાં ફરિયાદ દાખલ કરી હતી.