કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી ત્યાં વધુ એક બીમારીએ સમગ્ર દેશની ચિંતામાં વધારો કર્યો છે. ભારતમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ(H5N1)ના કારણે થાય છે.
કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દેશમાં ચિંતા વધારી
માનવીઓમાં પણ બર્ડ ફ્લૂના દેખાઇ શકે છે લક્ષણ
જાણો કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં આ વાયરસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાયરસ પક્ષીઓ માટે ખૂબજ ખતનાક સાબિત થઇ રહ્યો છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
શેનાથી ફેલાય છે ?
એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસ બર્ડ ફ્લૂના નામથી જાણીતો છે. આ ખતરનાક વાયરસ પક્ષીઓને અધિક પ્રભાવિત કરે છે. ખાસ કરીને મરઘાં-મરઘીઓ અને અન્ય પક્ષીઓ તેનો શિકાર ઝડપથી બને છે. તેની અસરથી પક્ષીઓ અને માણસો મોતને ભેટી શકે છે. WHOના આંકડા અનુસાર 2003 પછી બર્ડ ફ્લૂની બિમારીથી 332 લોકોના મોત નીપજ્યા છે. તો WHO ના એક રિસર્ચ અનુસાર H5N1 વાયરસ પર જો કાબૂ ન કરી શકાય તો ભયંકર રોગચાળો ફેલાઈ શકે છે.
બર્ડ ફ્લૂના લક્ષણો
હંમેશા કફ રહેવા
નાકમાંથી પાણી નીકળવું
સતત માથાનો દુખાવો રહેવા
ગળામાં સોજો
સાંધામાં દુખાવો
જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો
પેટથી નીચેના ભાગમાં દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ
હંમેશા કફ રહેવો નાકમાંથી પાણી નીકળવું સતત માથાનો દુખાવો રહેવો ગળામાં સોજો સાંધામાં દુખાવો જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો પેટથી નીચેના ભાગમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ લેવામાં તકલીફ નિમોનિયા થવો. આ પ્રકારના લક્ષણો હોય તો બર્ડ ફ્લૂ થાય છે. સંક્રમિત મરઘાઓ કે અન્ય પક્ષીઓની વધારે નજીક રહેવાથી બર્ડ ફ્લૂ ફેલાય છે..પછી એ જીવતા હોય કે મરેલા..માણસોમાં આ વાયરસ આંકો મોં કે નાક દ્વારા ફેલાય છે. એ સિવાય મરઘા કે પક્ષીઓની સફાઈ કરવાથી ફેલાય છે.
હજી સુધી એ નક્કી નથી થઈ શક્યુ કે નોનવેજ ફૂડથી પણ વાયરસ ફેલાય છે કે નહીં. એટલું ચોક્કસ છે કે બર્ડ ફ્લૂની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો મોત નીપજી શકે છે. બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવું. વાયરસને ઓછો કરવા સંપૂર્ણ આરામ કરવો. હેલ્ધી ડાયટ લેવું જેમાં વધારે પ્રવાહી લેવું. અન્ય લોકોમાં વાયરસ ફેલાય નહીં એ માટે દર્દીને એકાંતમાં રાખવો. તેનો ઈલાજ એન્ટી વાયરલ ડ્રગ ઓસેલ્ટામિવિર અને જાનામિવિરથી કરવામાં આવે છે.
ચિંતાનો વિષય
ભારતમાં 5 ડિસેમ્બર 2016થી એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.