રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાની 'ખુની ધમકી' વાળા નિવેદન પર બિહાર પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. પોલીસ મુખ્યાલયે પટના સહિત બિહારના તમામ જિલ્લામાં કોઇપણ સંજોગોમાં કાનુન-વ્યવસ્થા બની રહે તેવા ઓર્ડર આપવામાં આવ્યા છે. આ નિર્દેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારના પગલા લેવા પડે તે લેવામાં આવે.
ADG કુંદન કૃષ્ણને કહ્યું કે, તમામ મતગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસ દળો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કે, આ તમામ બાબતો વચ્ચે જો કોઇપણ પ્રકારની હિંસા સર્જાઈ તો તે માટે જવાબદાર ઉપેન્દ્ર કુશવાહા રહેશે.
આપને જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ બિહાર મહાગઠબંધનના નેતાઓએ ધમકી આપવાની શરૂઆત કરી દીધી છે. પટનમાં યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહાગઠબંધનના નેતાઓએ ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે, જો લોકસભા ચૂંટણી પરિણામોમાં કોઇ ગરબડ કરવાનો પ્રયત્ન કરશે તો હિંસા અને હથિયાર ઉઠવા માટે મજબૂર થઇશું.
NDA સરકારમાં ક્યારે નરેન્દ્ર મોદીના સહયોગી રહેલ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી(RLSP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, એક્ઝિટ પોલનો અસ્વિકાર કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, મહાગઠબંધનના સમર્થકોને નીચા દેખાડવા માટે એક્ઝિટ પોલનો સહારો લેવામાં આવી રહ્યો છે. કુશવાહે હિંસાની ધમકી આપતા કહ્યું કે, લોકોમાં એટલો આક્રોશ છે.
જો કોઇ ખુન- ખરાબો થાય તો તેના જવાબદાર માત્રને માત્ર નીતિશ કુમાર અને કેન્દ્ર સરકાર રહેશે. કુશવાહે કહ્યું કે, મતગણતરીના દિવસે અમારા સમર્થકો અને જનતા તૈયાર છે કારણ કે લોકો કાઇપણ કરી શકે છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, રિઝલ્ટમાં કોઇપણ ગરબડી થવાનું દેખાયું તો રસ્તાઓ પર લોહી વહી શકે છે.