બિહારમાં કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે સારી વાત એ છે કે દર્દીઓ અત્યંત ઝડપથી સાજા થઈ રહ્યાં છે.
23 એપ્રિલે 6 હજારથી વધારે લોકો કોરોનાથી સાજા થયા
10 એપ્રિલે 3469 લોકો કોરોનાથી માંદા પડ્યાં તો 822 લોકો સાજા થયા
15 એપ્રિલ 6133 લોકો સંક્રમિત થયા અને તે જ દિવસે 755 લોકો સાજા થયા
બિહારમાં સંક્રમિતોની ઝડપ કરતા તો સંક્રમણ મુક્ત થવાની ઝડપ ઘણી વધારે છે.
આરોગ્ય વિભાગના આંકડા પર નજર ફેરવીએ તો રાજ્યમાં એક એપ્રિલે 158 સંક્રમિત કોરોનાને હરાવીને સાજા થયા હતા જ્યારે 23 એપ્રિલે કોરોનાને હરાવનાર લોકોની સંખ્યા 6 હજાર કરતા પણ વધારે થઈ ગઈ. 10 એપ્રિલે 3469 લોકો કોરોનાથી માંદા પડ્યાં તો 822 લોકો સાજા થયા. ત્યાર બાદ 15 એપ્રિલ 6133 લોકો સંક્રમિત થયા અને તે જ દિવસે 755 લોકો સાજા થયા.
શુક્રવારે આવ્યાં સૌથી વધારે 12 હજાર કરતા પણ વધારે પોઝિટીવ કેસ
રાજ્યમાં 17 એપ્રિલે 7870 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા આ દિવસે 1804 લોકો કોરોનાથી સાજા થયા. 20 એપ્રિલે 10455 નવા દર્દીઓની પુષ્ટિ થઈ જ્યારે તે જ દિવસે 3577 દર્દીઓ સાજા થયા. હાલમાં બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ કોરોનાથી સંક્રમણુક્ત થવાની ઝડપ વધી છે.
દેશમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ
સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર શુક્રવારે રાતે 12 વાગે 24 કલાકમાં ભારતમાં 345, 147 નવા કેસ આવ્યા છે. ત્યારે આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2621 કોરોનાના દર્દીના મોત થયા છે. સતત 8 દિવસોથી કોરોનાના દર્દીના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.
દેશમાં મરનારાની કુલ સંખ્યા વધીને 1, 89, 549 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,02,456 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસના દર્દીઓની સંખ્યા 25,43,914 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 15.3 ટકા છે. આ પહેલા ગુરુવારે રાત સુધીમાં કોરોનાથી 3.32 લાખ નવા કેસ આવ્યા હતા. આ દરમિયાન 2250થી વધારે લોકોના મોત થયા ગતા. આ રીતે ભારતમાં દુનિયાભરમાં કોરોનાના મામલામાં રેકોર્ડ તુટ્યો છે. અમેરિકા પણ ડેલી કેસ મામલામાં ભારતથી પાછળ છુટી ગયો છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.
સાજા થનારાનો દર સાડા 83 ટકા થયો છે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,38,62,119 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
8 રાજ્યોમાં 77 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધારે મોત 773 મહારાષ્ટ્રમાં થઈ. આ બાદ દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196, ગુજરાતમાં 142, કર્ણાટકામાં 190, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા. આ 8 રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે. જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.