અમદાવાદની કંપનીએ બનાવેલ આ વેક્સિનના આ ટ્રાયલ જો સફળ થાય તો કોરોનાના દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવાની જરૂર નહિ રહે તેવો કંપનીનો દાવો છે. હાલમાં દેશમાં જો કે કોવિડ 19ની સારવારમાં પ્લાઝમા થેરાપીનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદની ઇન્ટાસ કંપનીએ બનાવી રહી છે દેશની પહેલી પ્લાઝમા થેરાપી જેવી વેક્સિન
કંપનીનો દાવો છે કે આ વેક્સિન આપવાથી પ્લાઝમા થેરાપીની જરૂર રહેતી નથી
કંપનીને આ વેક્સિન માટે માનવ પરીક્ષણણી મળી છે મંજૂરી, એક મહિનામાં થશે શરૂ ટ્રાયલ્સ
ઇન્ટાસ ફાર્માને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી મળી છે, જેણે મધ્યમથી ગંભીર કોવિડ સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર માટે તેની વિશિષ્ટ હાયપરિમ્યુન ગ્લોબ્યુલિનની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. જેને મંજૂરી મળી ગઈ છે.
વિકસાવી છે ખાસ હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન વેક્સિન સિસ્ટમ
હાયપરિમ્યુન ગ્લોબ્યુલિનમાં કોરોના દર્દીઓના સંપર્કમાં તમામ ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તી માટે પ્રોફીલેક્સીસ તરીકે ઉપયોગ કરવાની સંભાવના છે. આ એક મહત્વપૂર્ણ થેરપી હોઈ શકે છે જે રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ રોગ સામે લડવામાં સંભવિત મદદ કરી શકે છે. ઇન્ટાસ વિશ્વની સૌ પ્રથમ કંપની છે જેણે કોરોના દર્દીઓની સારવાર માટે આ અભિગમ અપનાવ્યો છે.
કંપનીના એક નિવેદનમાં જણાવાયું છે કે, તે તમામ ભારતીય બ્લડ બેંકોના સહયોગથી ઇન્ટાસ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (CSR)ની પહેલ કરવામાં આવશે, જે કોન્વીલેસન્ટ પ્લાઝ્મા (કોવિડ ચેપમાંથી સાજા થયેલા દર્દીઓમાંથી કાઢવામાં આવેલા પ્લાઝ્મા) મેળવવા માટે મદદ કરશે, 'કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન,કોવિડ-19ના દર્દીઓ માટે બ્લડ ટ્રાન્સમિટીડ વાયરસ અને અન્ય પ્લાઝમા પ્રોટીનથી મુક્ત શુદ્ધ અને સમૃદ્ધ એન્ટિબૉડિ તૈયાર કરશે. ખાસ પ્રકારે નિર્માણ થયેલી ઍન્ટિબૉડિની વિશિષ્ટ સારવાર હોવાના અનેક ફાયદાઓની સાથે દર્દી માટે ખાસ પ્રકારના બ્લડ ગ્રૂપ મેચિંગ અથવા દાતા પસંદ કરવાની જરૂર રહેતી નથી. પ્લાઝમા થેરપીની સામાન્ય સારવારથી અલગ હાઈપરિમ્યૂન ગ્લોબ્યુલિન દર્દીઓ માટે દેશના દૂરના વિસ્તાર સુધી પણ સરળતાથી પહોંચાડી શકાય છે.
શું છે હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન ટ્રીટમેન્ટ?
કોઈ વ્યક્તિ વાયરસના સંપર્કમાં આવે તે સાથે જ તેના શરીરની ઇમ્યુન સિસ્ટમ એક્ટીવેટ થઈ જતી હોય છે. આ સિસ્ટમ શરીરમાં પ્રતિરક્ષા કોષ એટલે કે એન્ટિબોડી બનાવે છે. આવ કેસમાં ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા વ્યક્તિના એન્ટિબોડી મદદરૂપ બની શકે છે. તેના બ્લડમાંથી પ્લાઝમા કાઢીને બીજા વ્યક્તિના શરીરમાં નાખવામા આવે છે. ઇન્ટાસે આ જ વાતનો આધાર લઈને હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન દવા વિકસાવી છે.
ઇન્ટાસ પ્લાઝમા ડોનર્સનું નેટવર્ક બનાવવા ઈચ્છે છે
ઇન્ટાસ મેડિકલ અને રિસર્ચ સંસ્થાઓ, રક્તદાન જૂથો સાથે જોડાણ સ્થાપિત કરી રહ્યું છે જેથી સારા થયેલા કોરોના દર્દીઓ પાસેથી પ્લાઝ્મા એકત્રિત કરી શકાય. તે પુન:પ્રાપ્ત કોરોના દર્દીઓને નજીકની બ્લડ બેંક શોધવા માટે મદદ કરવા માટે એક વેબસાઇટ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે જ્યાં તેઓ પ્લાઝ્મા સુરક્ષિત રીતે દાન કરી શકે.