મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાકેસનાો મુખ્ય આરોપી ઈરખાન ખાન નાગપુરમાંથી ઝડપાઈ ગયો છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટની હત્યા મામલો
પોલીસે મુખ્ય આરોપી ઈરફાન ખાનની કરી ધરપકડ
કેમિસ્ટ ઉમેશ કોલ્હેનું ગળું કાપીને કરાઈ હતી હત્યા
નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ કોલ્હેની થઈ હત્યા
મહારાષ્ટ્રના અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય આરોપી ઈરખાન ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે, પોલીસે નાગપુરમાંથી તેની ધરપકડ કરી છે.
Umesh Kolhe murder case | Amravati: Police have arrested the seventh accused related to the murder incident from Nagpur, Maharashtra: Nilima Araj, Police Inspector, City Kotwali PS, Amravati
આરોપી ઈરફાનખાને શમીમ અને મિત્રોને હત્યા માટે ઉશ્કેરાયા હતા
આરોપી એક એનજીઓ ચલાવે છે અને તે જ હતો જેણે શમીમ અને તેના મિત્રોને હત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો. અમરાવતીના એસીપી આરતી સિંહે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઇરફાન ખાનની પૂછપરછ ચાલી રહી છે.
Police have arrested the seventh accused and the mastermind Shaikh Irfan Shaikh Rahim in connection to Umesh Kolhe murder case: Nilima Araj, Police Inspector, City Kotwali PS, Amravati
આ ઘટના 21 જૂને રાત્રે 10 થી 10.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે ઉમેશ તેની દુકાન 'અમિત મેડિકલ સ્ટોર' બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. સંકેત તેની પત્ની વૈષ્ણવી સાથે બીજા સ્કૂટર પર સવાર હતો. સંકેતે જણાવ્યું હતું કે, 'અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારા સ્કૂટર વિમેન્સ કોલેજ ન્યૂ હાઈસ્કૂલના ગેટ પાસે પહોંચ્યા. મારા પિતાની સ્કૂટી સામે એક મોટરસાઇકલ પર આવેલા બે માણસો અચાનક આવી ગયા. તેઓએ મારા પિતાની બાઇક રોકી હતી અને તેમાંથી એકે તેમના ગળાની ડાબી બાજુએ છરી વડે હુમલો કર્યો હતો. મારા પિતા પડી ગયા અને લોહી વહેવા લાગ્યું. મેં મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડવા લાગી. અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરસાઇકલ પર સ્થળ પરથી ભાગી ગયા." આસપાસના લોકોની મદદથી, કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું.
શુ કહ્યું અમરાવતી પોલીસે ?
અમરાવતી શહેર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓએ અમને કહ્યું છે કે તેઓએ અન્ય આરોપીની મદદ લીધી હતી, જેમણે તેમને ભાગી જવા માટે એક કાર અને 10,000 રૂપિયા આપ્યા હતા." એક ફરાર આરોપીએ અન્ય પાંચને હત્યાની જવાબદારી સોંપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેણે તેમાંથી બેને કોલ્હા પર નજર રાખવા અને અન્ય ત્રણને જ્યારે તેઓ મેડિકલ સ્ટોરમાંથી બહાર આવ્યા ત્યારે ચેતવણી આપવા કહ્યું હતું. અન્ય ત્રણે કોલ્હેને રોકીને માર માર્યો હતો. સાકેતની ફરિયાદ બાદ સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
Final moments captured in CCTV footage from the night of 21st June show Amravati-based shop owner Umesh Kolhe (pic 1) who was stabbed to death on his scooter and three accused (pic 2) on a bike near a school building in Amravati
ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અમરાવતીના દુકાનદાર ઉમેશ કોલ્હે પર સ્કૂલ બિલ્ડિંગ પાસે ત્રણ બાઇક સવાર આરોપીઓએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
પોલીસ કમિશનરને હટાવો- અમરાવતી સાંસદ નવનીત રાણા
અમરાવતીના સાંસદ નવનીત રાણાએ અમરાવતીના પોલીસ કમિશરનને હટાવવાની માગ કરી છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું કે ઘટનાના 12 દિવસ બાદ પોલીસ કમિશનર મીડિયામાં આવીને નિવેદન આપે છે કે કેમિસ્ટનું મર્ડર ઉદેયપુર મર્ડરની સાથે મળતું આવે છે અને તે નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટના વિરોધમાં હત્યા થઈ છે.
After 12 days she's giving clarification on the incident. She first said that it's robbery & tried to suppress the case. Enquiry must also be done against Amravati CP: Navneet Rana, Amravati MP on Umesh Kolhe's murder
અમરાવતીના પોલીસ કમિશરની સામે તપાસ થવી જોઈએ-સાંસદ નવનીત રાણા
અમરાવતીના મહિલા પોલીસ કમિશનર આરતી સિંહ પર નિશાન સાધતા સાંસદ રાણાએ કહ્યું કે ઘટનાના 12 દિવસ બાદ તેઓ ખુલાસો આપવા સામે આવે છે, પહેલા તેમણે કહ્યું કે આ લૂંટનો કેસ છે ત્યાર બાદ તેમણે કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો. અમરાવતીના પોલીસ કમિશરની સામે તપાસ થવી જોઈએ.