તૌકતે વાવાઝોડાના કારણે વીજ, વન સહિત હવે એસટી વિભાગે પણ મહત્વના નિર્ણય કર્યા છે, દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ કર્યા છે
વાવાઝોડાને લઇ ST નિગમનો મોટો નિર્ણય
દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ
બપોરથી દરિયાઈ વિસ્તારોમાં ST સેવા કરાઈ બંધ
તૌકતે વાવાઝોડાને લઇ ST વિભાગે મોટો નિર્ણય કર્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 50 કિમી સુધીના રૂટ બંધ કર્યા છે. બપોરથી દરિયાઈ વિસ્તારોમાં ST સેવા કરી દેવાઈ છે. 12 હજારની ટ્રીપમાંથી 4 હજાર ટ્રીપ બંધ કરી દેવાઈ છે. તો અમદાવાદથી અધિકારીને ભૂજ મોકલવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતના આ મહત્વના રૂટ બંધ
ઊના, અમરેલી, જામનગર સહિતના રૂટ બંધ
ગાંધીધામ, ભચાઉ, અંજારના રૂટની બસો બંધ
STની 300થી વધુ બસોમાં લોકોનું સ્થળાંતર કરાયું
વાવાઝોડાને પગલે કેટલાક રૂટ પણ ડાયવર્ટ કરાયા
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તૌકતેના આગમન સાથે દરિયા કિનારે 15થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળશે. દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 11 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લામાં 11 નંબરનું સિગ્નલ લાગ્યું છે. તો દમણમાં પણ 11 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે વેરાવળ, જાફરાબાદ, પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. રાત્રે 8થી 10 વાગ્યાની વચ્ચે પોરબંદર અને મહુવાને હિટ થશે.
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.