મુંબઇ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે કે તે શહેરમાં કોઈ પણ ડોક્ટરની સૂચના વગર હવે કોઇપણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી શકશે. હવે, લેબ્સમાં, કોઈ પણ વ્યક્તિ ઇચ્છે તો આઇસીએમઆર માર્ગદર્શિકાની RT PCR ટેસ્ટ કરાવી શકે છે.
મુંબઇ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય
કોઇપણ નાગરિક ડોક્ટરની મંજૂરી વગર પણ કરાવી શકશે કોરોના ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે, મનપાના આ નિર્ણયથી નાગરિકોને સલામતી અનુભવવામાં અને પછી શંકા હોય તો પણ વિલંબ કર્યા વિના પરીક્ષણ કરવામાં મદદ મળશે. મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો થયાં ક્વોરેન્ટાઇન
The @mybmc has decided to open up testing to any individual in the city without prescription/ self attestation. Labs can now conduct RT PCR tests as per ICMR guidelines at the will of anyone. This will help citizens feel safer and test when they have a doubt, without any delays.
કોવિડ-19 આઉટબ્રેક બાદ મુંબઇમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ જાણકારી સોમવારે બૃહદ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. BMCએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ દરમિયાન આ 15 લાખ લોકો પૈકી 5.34 લાખ લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. તો અત્યાર સુધીમા 13.28 લાખ લોકોનો ક્વોરેન્ટાઇન પીરિયડ પૂર્ણ થઇ ચુક્યો છે. વર્તમાન સમયમાં મુંબઇમાં 2.46 લાખ લોકો ક્વોરેન્ટાઇન છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5134 નવા કેસ
મહારાષ્ટ્રમાં, એક જ દિવસમાં કોરોના વાયરસના 5134 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,17,121 થઈ ગઈ છે. આ તરફ મહારાષ્ટ્રમાં 224 લોકોનાં મોત થયાં છે, ત્યારબાદ કોવિડ -19 માંથી મૃત્યુઆંક વધીને 9250 પર પહોંચી ગયો છે.
મુંબઇમાં પ્રથમ વખત નોંધાયા 785 કેસ
જો કે મુંબઈથી સારા સમાચાર આવ્યા છે કે, એક મહિનામાં કોરોના વાયરસના સૌથી ઓછા 785 કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 86,509 થઈ ગઈ છે. 24 કલાકમાં મુંબઇમાં 64 લોકોનાં મોત થયાં છે, ત્યારબાદ અહીં મૃત્યુઆંક વધીને 5002 પર પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસના ચેપના કેસમાં મુંબઇએ ચીનને પાછળ છોડી દીધું છે. ચીનમાં કોરોના વાયરસના 83,565 કેસ નોંધાયા છે, જેની સરખામણી 4,634 છે.