ગુજરાતમાં રેમડેસિવિર ઈંજેક્શન માટે લોકો અફરાતફરી મચાવી રહ્યા છે ત્યારે આ ઈંજેક્શન પર રાહત મળે તેવી શક્યતા છે.
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મોટા સમાચાર
રેમડેસિવિર અછત ઝડપથી દુર થવાના સંકેત
દિલ્હીમાં આ મુદ્દે હલચલ તેજ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સૌથી મહત્વના સમાચાર
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે અને એવામાં રેમડેસિવિર ઈંજેક્શનને લઈને મોટો વિવાદ જોવા મળ્યો છે. રાજ્યમાં જુદા જુદા શહેરોમાં દર્દીઓને ઈંજેક્શન નથી મળી રહ્યા જેના માટે અમદાવાદ અને સુરતમાં લોકોની લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે. ગુજરાતીઓ ઈજેક્શન માટે રઝળી રહ્યા છે ત્યારે આ ઈંજેક્શન મુદ્દે રાહતના સમાચાર સામે આવ્યા છે.
એક્સપોર્ટ માટેનો જથ્થો સ્થાનિક બજારમાં વેચવા મંજૂરી અપાય તેવી પૂરી શક્યતા
ભારત સરકાર દ્વારા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ કરવા પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. હવેથી એક્સપોર્ટ માટેનો જથ્થો સ્થાનિક બજારમાં વેચવા મંજૂરી આપવામાં આવશે જેની મદદથી એક અંદાજ મુજબ લગભગ 1 લાખ વાઈલ્સ તાત્કાલિક મળી શકે છે. 1 વાઇલમાં રેમડેસિવરિના 6 ઇન્જેકશન આવે છે એવામાં 6 લાખ ઇન્જેકશન તાત્કાલિક લોકળ માર્કેટને મળી શકે છે.
દિલ્લીમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચાલી રહી છે ચર્ચા
દિલ્હીમાં રેમડેસિવિર ઈંજેક્શન માટે હલચલ તેજ થઈ ગઈ છે. દિલ્લીમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે અથવા આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. એક્સપોર્ટ માટેના જથ્થાને સ્થાનિક બજારમાં વેચવા મંજૂરી મળતા જ જે અછત ઊભી થઈ છે તેમાં રાહત મળી શકે છે.
20 અપ્રિલ બાદ રેમડેસીવિરની અછત સંપૂર્ણ દૂર થવાની શક્યતા
નોંધનીય છે કે દેશમાં કુલ 19 જેટલા પ્લાન્ટમાં રેમડેસિવિર બને છે. સ્થાનિક અને નિકાસ કરતી કંપનીઓમાં 2 કરોડ વાઈલ્સ બનાવવાની ક્ષમતા છે એવામાં અંદાજ મુજબ 20 અપ્રિલ બાદ રેમડેસિવિરની અછત સંપૂર્ણ દૂર થવાની શક્યતા છે.