યાત્રાધામ વિકાસના બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ. આ સાથે કેવડિયાની આસ-પાસના 50 કિ.મી ત્રિજ્યા કમલમ્ ફ્રૂટના બે લાખ રોપાનું વાવેતર કરાશે
યાત્રાધામ માટે 154 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડ
કમલમ્ ફ્રૂટ માટે 15 કરોડ
ગુજરાત રાજ્યના બજેટ પર સૌ કોઈની નજર છે. કોરોનાકાળ પછી સરકારનું બજેટ 2021 રજૂ થઈ રહ્યું છે. ત્યારે જુદા-જુદા વિભાગ માટે અનેક જોગવાઈ કરાઈ છે. તો પ્રવાસ અને યાત્રાધામ વિકાસ માટે પણ સરકારના બજેટમાં કેટલીક જોગવાઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ્ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના ઉભી કરવાની તૈયારી છે.
આ સાથે ગુજરાતના જાણીતા અને યાત્રાધામો માટે સરકારે એક ખાસ સુવિધાની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરી છે.
અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડની જોગવાઈ, વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરાશે, રોજગારીની સંભાવના વધશે
પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડની જોગવાઈ
પ્રવાસીઓને સુવિધા આપવા માટે 315 કરોડ
વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે
હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો વિકાસ કરાશે
તળાવ, મંદિર માટે માસ્ટર પ્લાન બનાવાશે
ટંકારામાં પ્રવાસન સુવિધાઓ વિકાસાવાશે
પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળને વિકસાવાશે
ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો વિકાસ કરાશે
પ્રસિદ્ધ મંદિરો અને ધાર્મિક સ્થળોના વિકાસ માટેની ફાળવણી
યાત્રાધામો પર પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાશે
પાવાગઢ સર્વગ્રાહી વિકાસ માટે રૂ.31 કરોડનો પ્રોજેક્ટ
નારાયણ સરોવર માટે રૂ.30 કરોડના પ્રોજેક્ટ
માતાના મઢના વિકાસ માટે રૂ.25 કરોડના પ્રોજેક્ટ
બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઇ
કંથારપુર વડના વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઇ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. નીતિન પટેલે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડ અને શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ રજૂ કરતાં પહેલા કોરોનાકાળમાં સરકારે કરેલા કામોના કર્યા વખાણ
ગુજરાતના બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલે આજે કોરોના કાળમાં ગુજરાત સરકારે કરેલા કામ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં તંબુઑ બાંધવા પડ્યા અને સ્ટેડિયમમાં દર્દીઑ રાખવા પડ્યા હતા .પરંતુ ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને તે બદલ વિજય રૂપાણીનો આભાર માનું છું. આવું સુંદર આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થયું છે.
નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું અને તેમાં તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો અને તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા.