છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર મોટો પ્રહાર કર્યો હતો.
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ભગવાન રામ પર કહી વાત
ભાજપ અને RSS પર કર્યા પ્રહાર
ક્રોધિત રૂપ બતાવાની કોશિશ થઈ રહી છે
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર મોટો પ્રહાર કર્યો હતો. સીએમ બઘેલે કહ્યું કે, બીજેપી-આરએસએસ ભગવાન રામ અને બજરંગ બલીની છબી બદલવાની કોશિશ કરી રહ્યા છે. ભગવાન રામને રેંબો રામ અને ભગવાન હનુમાનને આક્રમક બતાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મર્યાદા અને શાંતિના પ્રતિક છે ભગવાન રામ
અમદાવાદમાં પોતાના સંબોધનમાં સીએમ ભૂપેશ બધેલે કહ્યું કે, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ અને શાંતિના પ્રતિક છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેમને એક યોદ્ધા તરીકે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે. ભગવાન રામ અને હનુમાનજીની છબીને આક્રમક છબીમાં બદલવું સમાજ માટે સારી વાત નથી.
#Watch | "Lord Ram, a symbol of dignity and calmness, in the past few years has been portrayed as a warrior, Rambo," says Bhupesh Baghel, CM Chhattisgarh pic.twitter.com/v8rkhuWqKB
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, આપણે હંમેશા રામરાજ્ય વિશે વિચારીએ છીએ, આવી રીતે ભક્તિ, જ્ઞાન અને શક્તિના પ્રતિક ભગવાન હનુમાનને ક્રોધિત રીતે ચિત્રણ કરવામા આવી રહ્યા છે. આ સમાજ માટે ખરાબ બાબત છે.
ભગવાન રામની છબી બદલવાની કોશિશ
સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, હાલમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહીએ છીએ,. ભદ્ર પુરુષ કહેવાય છે. આ અગાઉ મંદિરોમાં અથવા જ્યાં પણ રામની મૂર્તિઓ બની છે. તેમના ઘણુ સૌમ્ય દેખાય છે. તેમનું સ્મરણ કરવાથી જ મનમાં શિતળતાનો આભાસ થાય છે. આવી જ રીતે હનુમાનની ભક્તિ, જ્ઞાન અને શક્તિના પ્રતિક છે. હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી જોઈ રહ્યા છીએ કે, ભગવાન રામની છબી રૈંબો રામ તરીકે બનાવાની કોશિશ થઈ રહી છે.