ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ડેપોમાંથી આ બસ રોજની માફક મધ્યપ્રદેશ તરફ જવા રવાના થઈ હતી. જ્યાં રસ્તા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશની આ પ્રાઈવેટ બસમાં સવાર તમામ લોકો મધ્યપ્રદેશના હોવાનુ ખુલ્યુ છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી એક્શનમાં આવ્યા છે. સાથે જ તેમણે મૃતકોના પરિજનોને રૂ. 4 લાખની આર્થિક સહાય અને ઘાયલોને યોગ્ય સહાય આપવાનું એલાન કર્યું છે. હાલ પોલીસે બસના કન્ડક્ટર અને ડ્રાઇવરને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.