ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની તીવ્ર તંગી ઉભી થવા પામી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા વધુ ગંભિર સ્વરૂપ ધારણ કરે છે.
ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની તીવ્ર તંગી ઉભી થવા પામી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા વધુ ગંભિર સ્વરૂપ ધારણ કરે છે. ભાવનગરના અવાણીયા ગામ નજીક રાજાશાહી સમયથી રહેતા મૂળ કચ્છથી આવેલા મુસ્લિમ પરિવારો જે વિચરતી જાતિના લોકો તારીખે ઓળખાય છે. હાલ પીવાના પાણી અને માલઢોરને પીવાના પાણીની ગંભિર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રાજાશાહી સમયથી રહેતા કચ્છી મુસ્લિમ પરિવાર
ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યા ધીમે-ધીમે વધતી જાય છે જો કે અન્ય શહેરોની સરખામણીમાં અહીં સમસ્યા ઓછી છે. ભાવનગરના ઘોઘા તાલુકાના અવાણીયા ગામ નજીક વર્ષોથી મૂળ કચ્છના અને કચ્છી મુસ્લિમ તરીકે ઓળખતા 100થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ લોકો તેમની સાથે માલઢોરમાં ભેંસ અને ઉંટ પણ રાખે છે આ પરિવારો અવાણીયા નજીક આવેલા એક તળાવના કાંઠે વસવાટ કરે છે. રાજાશાહી સમયથી રહેતા આ લોકો લાઈટ તેમજ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
પાણીની સમસ્યાથી ત્રસ્ત
કચ્છી મુસ્લિમો ઘાસના ઝુંપડા બનાવીને વસવાટ કરે છે. તેમના પરિવારના પુરુષો આસપાસની ફેક્ટરીમાં નોકરી કરે છે. અથવા તો વાહન ચલાવવાનો ધંધો કરે છે. આ પરિવારો ઉનાળાના દિવસોમાં પીવાના અને માલઢોરને પીવા માટેના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઇ ગયા છે. આ પરિવારો મોટાભાગે રસોઈમાં ખીચડી બનાવે છે. પરંતુ હાલ તળાવમાં પાણી ન હોવાને કારણે બાજુમાં એક વીરડો બનાવી તેમાંથી પાણી મેળવે છે. પરંતુ આ પાણી ખારાશ વાળું હોવાથી તેમને રસોઈ બનાવવામાં મુશકેલી પડે છે. અહીં પીવા માટેનું પાણી મેળવવા બહેનોને ખુલ્લા દરિયાઈ વિસ્તારમાં બે થી ચાર કિલોમીટર દૂર પાણી મેળવવા માટે જવું પડે છે.
ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર
ભાવનગરથી માત્ર 15 કિલોમીટર દૂર વિસ્તારમાં આ પરિવારો રહે છે. પરંતુ તેમને પીવાના પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે. બાજુમાં મનપા દ્વારા એક તળાવ બનાવવમાં આવ્યું છે. પરંતુ અહીં ગત વર્ષે ઓછા વરસાદના કારણે પાણીના સંગ્રહ ન થવાથી આ તળાવ આજે ખાલીખમ, સૂકાંભઠ જેવું બની ગયું છે. આ પરિવારના લોકોનું કહેવું છે કે અમારે પીવા માટે પાણી વેચાતું લેવું પડે છે. માલઢોર માટે વીરડા માંથી પાણી લાવીએ છીએ પણ તે ક્ષાર યુક્ત હોઈ પશુ આ પિતા નથી. આથી સરકારે અમારા માટે પાણી વ્યવસ્થા કરવી જોઈએ.