ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા ભારે વરસાદ રાજ્યની પ્રજા સાથે પશુઓ માટે આફતરૂપ બનતો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન, નદીઓનું જળસ્તર વધતાં ગામમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન જોવા મળી રહ્યું છે. ભાવનગરની કાળુભાર અને ઘેલો નદીના જળસ્તર વધ્યાં છે. ત્યારે કાળિયાર માટે નદીના ઘસમતા વહેણ આફતરૂપ બનેલા જોવા મળ્યાં છે.
ભાવનગરની કાળુભાર અને ઘેલો નદીના જળસ્તર વધ્યા
કાળિયાર માટે નદીના ધસમસતા વહેણ આફતરૂપ બન્યા
વનવિભાગની ટીમે ફસાયેલા કાળિયારની શોધખોળ હાથ ધરી
ભાવનગરમાં કાળુભાર અને ઘેલો નદીના જળસ્તર વધતાં લોકો સાથે પશુઓ માટે પણ આફતરૂપ જોવા મળ્યાં છે. નદીના ઘસમસતા વહેણ કાળિયાર માટે આફત બનીને આવ્યાં છે. નદીના પ્રવાહમાં ડૂબી જતા બે કાળિયારે જીવ ગુમાવ્યાં છે.
કાળિયાર માટે નદીના ઘસમસતા વહેણ આફતરુપ બન્યા છે. ત્યારે હવે વનવિભાગની ટીમ સક્રિય જોવા મળી છે. હાલમાં ફસાયેલ કાળિયારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે પાણી ઓસર્યા બાદ કાળિયારનો મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
છેલ્લા ઘણા દિવસથી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. કાળુભાર નદીના પાણી સવાઇનગરના રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા જોવા મળ્યાં હતા. આ અગાઉ કાળુભાર અને ઘેલોમાંથી છોડવામાં આવેલા પાણીને લઇને ભાવનગર-અમદાવાદ હાઇવે પર માઢિયા ગામનો રસ્તો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો.