કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી આજે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યા તેઓએ એક મોટું નિવેદન આપ્યું છે. જે રાજકીય દ્રષ્ટિએ ખુબ મહત્વનું છે
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામ પહોંચ્યા
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક કરી
ખોડલધામમાં મળેલી બેઠક રાજકીય દ્રષ્ટિએ મહત્વની
ખોડલધામમાં ભરતસિંહએ આપ્યું મોટું નિવેદન આપ્યું
ખોડલધામના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ એક મોટું નિવેદન આપ્યું છે. જેનો ઘણાં રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકીએ હું માં ખોડલના દર્શન કરવા આવ્યો છું. નરેશ પટેલે આટલું સરસ સંકુલ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું.આ સાથે તેણે વધુમાં કહ્યું કે પદ્મશ્રીનો પુરસ્કાર કંગના રનૌતની જગ્યાએ નરેશભાઈને મળવો જોઈએ
ભરતસિંહ સૌરાષ્ટ્રના શરણે આવ્યા
રાજ્યમાં આગામી વિધાનસભા-2022ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગઈકાલે વરણી થયા બાદ જ ભરતસિંહ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ખોડલ ધામના શરણે આવ્યા હતા. જ્યાં નરેશ પટેલ સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ ભરતસિંહ સોલંકીએ ખોડિયાર માતાના દર્શન કર્યા હતા.
ખોડલધામના પટાંગણમાં મળેલી આ બેઠક રાજકીય રીતે મહત્વની
ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં તેઓએ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી બેઠક કરી હતી.
ભરતસિંહની ખોડલધામ મુલાકાત પહેલા વિવાદ
કોંગ્રેસના નેતાના ભરતસિંહ સોલંકી ખોડલધામ મુલાકાત લે તે પહેલા વિવાદ સર્જાયો હતો. મહત્વનું છે કે, ભરતસિંહના આગમનની પહેલા હેમાંગ પટેલે શોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, કાલે પેલા ભાઈ આવે છે. તેમજ સોશિલ મીડિયા પર ભરતસિંહના અંગત જીવનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે પોસ્ટ મુકાનાર હેમાંગ પટેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલા અંગત મિત્રે છે.