મેંને પ્યાર કિયાની સુમન એટલે કે ભાગ્યશ્રીએ એવો ખુલાસો કર્યો છે કે સાંભળવાવાળા દંગ રહી ગયા છે.
ભાગ્યશ્રીએ કર્યા હતા ભાગીને લગ્ન
પરિવારને લગ્ન મંજુર ન હતા
સ્કૂલથી જ શરુ થઇ હતી ભાગ્યશ્રીની લવ સ્ટોરી
સલમાન ખાન સાથે સાલ 1989માં ફિલ્મ 'મેંને પ્યાર કિયા' થી ડેબ્યૂ કરવાવાળી ભાગ્યશ્રી આજે પણ એટલી જ સુંદર છે, જેટલી પહેલા હતી. ભાગ્યશ્રીની આ પહેલી ફિલ્મ હતી તથા તે સુપરહિટ સાબિત થઇ હતી. 53 વર્ષની ભાગ્યશ્રીને આજે પણ જોઇને કોઈ તેમની ઉંમરનો અંદાજો ન લગાવી શકે. ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મ બાદ જ સાલ 1990માં પોતાના મિત્ર તથા બીઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ પણ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે ફિલ્મો ખાસ ચાલી ન શકી. ત્યાર બાદ તેમણે મોટા પરદાથી દૂરી બનાવી લીધી.
હાલમાં ભાગ્યશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના લગ્ન સાથે જોડાયેલ મોટો ખુલાસો કરતી જોવા મળે છે. વીડિયોમાં ભાગ્યશ્રી જણાવે છે કે ક્યા પ્રકારે તેમના પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો તથા સાથે જ તેમના લગ્નમાં પરિવાર આ ખાસ દિવસનો હિસ્સો નહોતો બની શક્યો. આ વીડિયોનાં સામે આવ્યા બાદ ભાગ્યશ્રીની લવ સ્ટોરી ઘણી ફિલ્મી લાગી રહી છે. વીડિયોમાં ભાગ્યશ્રી કહે છે કે જ્યારે અમે લગ્નનો નિર્ણય લીધો તો અમારા પરિવારવાળા અમારી સાથે ન હતા તથા તેઓ આ લગ્ન માટે તૈયાર જ ન હતા.
ભાગ્યશ્રી આગળ જણાવે છે કે મીડિયા જયારે જણાવે છે કે મેં ભાગીને લગ્ન કર્યા તો એ સાંભળીને ગુસ્સો આવે છે, કેમકે આ સત્ય નથી. અસલમાં, સ્ટાર પ્લસ ચેનલનો નવો શો સ્માર્ટ જોડીમાં જલ્દી જ ભાગ્યશ્રી તથા તેમના પતિ હિમાલય દાસાની પણ જોવા મળશે. બંનેનો આ વીડિયો શોનાં પ્રોમો વાળા દિવસનો છે, જેમાં ભાગ્યશ્રી તથા હિમાલય પોતાની લવ સ્ટોરી સંભળાવતા જોવા મળી રહ્યા છે તથા આ દરમિયાન સ્ટેજ પર તેમના લગ્ન થાય છે અને ભાગ્યશ્રી આ વાતોનો ખુલાસો કરે છે.
ભાગ્યશ્રી અને હિમાલયની મુલાકાત સ્કૂલમાં થઇ હતી. બંને એકબીજાને દિલ આપી બેઠા પરંતુ ભાગ્યશ્રીનાં પરિવારનાં સદસ્યો આની વિરોધમાં હતા. ભાગ્યશ્રી તથા હિમાલયે લગ્નનો નિર્ણય લઇ લીધો હતો. સલમાન ખાન, સૂરજ બડજાત્યા તથા અમુક નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા.
ભાગ્યશ્રી વિષે વાત કરીએ તો તેમણે હિંદી સિવાય ભોજપુરી, મરાઠી, બંગાળી, કન્નડ તથા તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.