અમદાવાદમાં વિનય શાહ દ્વારા છેતરપિંડી મામલે આજે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની પૂછપરછ કરવામાં આવી. આ પૂછપરછમાં વિનય શાહ મામલે વધુ ખુલાસા થયાં છે. ભાર્ગવી શાહ છ દિવસના રિમાન્ડ પર છે. વિનય શાહે લોકો સાથે 260 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આમ વિનય શાહ દ્વારા 260 કરોડની છેતરપિંડી મામલે તેની પત્ની ભાર્ગવી શાહ દ્વારા પૂછપરછમાં નવા ખુલાસા બહાર આવ્યાં છે.
જેમાં સ્વપ્નિલ રાજપૂત અને વિનય શાહ વચ્ચેના ધંધાકીય સંબંધને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે. આમ આ ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમે સ્વપ્નિલ રાજપૂતની પૂછપરછ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
જ્યારે વિનય શર્માની હોટલમાં થયેલી મિટીંગો-કોર કમિટીના સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. જો કે એક અહેવાલ મુજબ પૂજા શાહની પૂછપરછ ફરી કરાશે. જ્યારે દિપક ઝાની પણ કૌભાંડમાં સંડોવણીને લઇને તપાસ શરૂ કરવામાં આવી શકે છે.
ભાર્ગવી અને મોનિલના નામે મિલકતનાં રોકાણ કર્યાં શક્યતાને લઇને પોલીસ તપાસ કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 260 કરોડનું કૌભાંડ કરી વિનય શાહ ફરાર થઇ ગઇ હતો.
નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. આમ 260 કરોડના કૌભાંડમાં સંડોવાયેલ ભાર્ગવી શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતા. આ અગાઉ વિનય શાહ કૌભાંડ મામલે ભાર્ગવી શાહ સીઆઇડ ક્રાઇમ સમક્ષ હાજર થઇ ગઇ હતી.