પંજાબમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ AAP તરફથી BHAGWANT MANN ને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપની જોરદાર તૈયારી
AAP તરફથી ભગવંત માન CM પદના ઉમેદવાર
દિલ્હીના CM કેજરીવાલે કરી જાહેરાત
પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. અગાઉ પોલના આમ આદમી પાર્ટીનું પલડું ભારે દેખાતું હતું અને હવે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
Bhagwant Mann will be the AAP's chief ministerial candidate for the upcoming Punjab Assembly elections pic.twitter.com/jltwyeCeeD
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP તરફથી ભગવંત માન મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત આપના સર્વેસર્વ ગણાતા અરવિંદ કેજરીવાલે કરી હતી.
ઉમેદવાર જાહેર કરવા માટે પણ કરાયું વોટિંગ
ઉલ્લેખનીય છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે પણ વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 21 લાખ પંજાબનાં લોકોએ પબ્લિક વોટિંગમાં પોતાનો મત આપ્યો હતો જેમાં 93.3 ટકા લોકોએ પોતાના નેતા તરીકે ભગવંત માનને પસંદ કર્યા હતા.
ભગવંત માન મારા નાનાં ભાઈ છે: CM કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે Bhagwant Mann નું નામ જાહેર કરતાં સમયે કહ્યું હતું કે તેઓ મારા નાનાં ભાઈ જેવા છે. જો હું તેઓનું નામ જાહેર કરું તો એમ થાય કે નાનાં ભાઈને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા.