ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. એવામાં ખોરાક પચતો નથી અને અનેક સમસ્યા થવા લાગે છે. તેના માટે માત્ર આ દેશી ઉપાય એકવાર કરો ટ્રાય.
ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓ કરે છે હેરાન
પેટની પ્રોબ્લેમ માટે અજમાવો દેશી ઈલાજ
આ ઘરેલૂ ઈલાજ તમારા પેટને રાખશે હેલ્ધી
ખરાબ ખાનપાન અને લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોનું પાચનતંત્ર ખરાબ રહે છે, ખાધેલો ખોરાક બરાબર પચતો નથી અને શરીરને સંપૂર્ણ પોષણ પણ મળતું નથી લોકો આને સામાન્ય સમસ્યા માનીને વધુ ધ્યાન આપતા નથી અને આગળ જઈને તે ગંભીર સ્વરૂપ લઈ લે છે. ડાઈજેશન સિસ્ટમ ઠીક રાખવા માટે ઘણાં લોકો દવાઓનું સેવન કરતાં હોય છે. પણ જો સમય પર તેના લક્ષણો ઓળખીને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો પાચનતંત્ર સારું રાખી શકાય છે. તો ચાલો જાણીએ.
પાચનતંત્ર ખરાબ હોવાના લક્ષણો
વારંવાર ખાટાં ઓડકાર
ગભરામણ
પેટમાં દુખાવો અને સોજો
અપચો
પેટમાં ગેસ
ઘરેલૂ ઉપાય
પાચનને યોગ્ય રાખવા માટે ભોજનને બરાબર ચાવીને ખાવું બહુ જ જરૂરી છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને શરીર અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેથી ભોજન હમેશાં ધીરે-ધીરે અને ચાવીને જ ખાવું.
ડાયટમાં ફાયબરવાળા ખોરાક સામેલ કરવાથી પાચનતંત્ર સારું રહે છે. પાચન માટે ફાયબર ખૂબ જ જરૂરી તત્વ છે. જેથી ફળો, શાકભાજી, ચોકરવાળો ઘઉંનો લોટ, સાબૂત અનાજ વગેરે ડાયટમાં ખાવું, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવોઈડ કરવું.
પાચનતંત્ર સારું રાખવા માટે બોડીને હાઈડ્રેટ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે વધુ પાણી ન પી શકતાં હો તો અન્ય લિક્વિડને ડાયટમાં સામેલ કરો. તેનાથી પાણીની કમી દૂર થશે અને પાચન સારું રહેશે.
શરીર અને પાચનતંત્રને હેલ્ધી રાખવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરતને રૂટીનમાં સામેલ કરી લેવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે અને પાચન સંબંધી તકલીફોથી બચી શકાય છે.
હેલ્ધી ફેટ ડાયટમાં લેવું જરૂરી છે. તે ડાઈજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. જેથી પનીર, ઈંડા, નટ્સ, જેતૂનનું તેલ, ફેટી ફિશ જેવા ફૂડ્સ ડાયટમાં સામેલ કરવા. આ સિવાય સેમન ફિશ, ચિઆ સીડ્સ, સનફ્લાવર સીડ્સ પણ લઈ શકો છો.
તણાવ બધાં જ રોગોનું મૂળ છે. જેથી પાચન સારું રાખવા સૌથી પહેલાં તણાવને નિયંત્રણમાં રાખો. નહીં તો પેટમાં અલ્સર, દસ્ત, કબજિયાત જેવા પાચન વિકારો શરીરમાં વધવા લાગશે. તેનાથી બચવા મેડિટેશન અને બ્રીધિંગ એક્સરસાઈઝ, યોગ કરો.