શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. ભોજન જેટલું વધારે ચાવીને ખાવામાં આવે ભોજન એટલી જ સરળતાથી પચે છે. એની સાથે સિંધાલૂણ, મરી, આદું, સૂંઠ, લીંબુ ભોજનની શરૂઆતમાં ખાઈ લેવા પાચનને દુરસ્ત રાખે છે અને ખોરાક પચી જાય છે. બહુ વધારે ગરમ કે ઠંડુ ભોજન ન લેવું. ચાલો જાણીએ વાયુ વિકારોથી બચવાના નુસખાઓ.
બહુ જ ખરાબ હોય છે વાયુ વિકાર
વાયુ વિકાર થતાં શરીરમાં થાય છે ભયંકર સમસ્યા
આ ઉપચારથી મટાડો વાયુવિકાર
શરીરમાં વાયુ પ્રકોપ વધવાના કારણો
મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.
વાયુ વિકારથી થતાં રોગો
કમરનો દુખાવો, સાંધા દુઃખવા, વંધ્યત્વ, કસુવાવડ, શરીરમાં દુખાવો, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.
વા અને વાયુ માટેના ઉપાયો
15-20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
અજમો તવી પર ગરમ કરી, સમભાગે સિંધાલૂણ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિધાલૂણ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે અને ખાધેલું પચી જાય છે.
વાયુ અને કફદોષ
10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિધાલૂણ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.
ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે.
ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે.
મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.