ઇઝરાઇલ (Israel)ના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) એ મંગળવારે દેશમાં મધ્યમવર્તી ચૂંટણીનોસંદર્ભ ટાંકીને 9 સપ્ટેમ્બરના રોજ તેમની ભારતની નિર્ધારિત મુલાકાત રદ્દ કરી છે. એક દિવસની મુલાકાત દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને મળવાના હતા.
PM મોદી સાથે કરી ટેલિફોનીક વાતચીત
આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે નેતન્યાહૂએ મંગળવારે સવારે મોદી સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓએ 17 સપ્ટેમ્બરના રોજ ઇઝરાઇલમાં ચૂંટણી હોવાને કારણે બંન્ને નેતાઓ નેતન્યાહૂની નવી દિલ્હીની પૂર્વ નિર્ધારિત મુલાકાતને રદ્દ કરવા મુદ્દે સહમત થયાં હતા. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે ઇઝરાઇલી નેતાએ તેમની નિર્ધારિત ભારતની મુલાકાતને રદ્દ કરી છે. એપ્રિલમાં યોજાનારી ચૂંટણી પહેલા પણ તેમણે ભારતની તેમની મુલાકાત રદ્દ કરી ચૂક્યા છે.
ચૂંટણીલક્ષી મુલાકાત
નોંધનીય છે કે, નેતન્યાહુની ભારત મુલાકાત ઇઝરાઇલમાં તે દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી હતી કે તેઓ 17 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પૂર્વે વિશ્વભરમાં પોતાની સ્વીકૃતિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પ્રચાર અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જુલાઇમાં ઠેર-ઠેર લાગ્યા હતા PM મોદી સાથેના બેનર
જુલાઈમાં નેતન્યાહૂની લિકુદ પાર્ટીએ મતદારોને રાજી કરવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે તેમની તસવીર વાળા બેનરો વિવિધ સ્થળે લગાવ્યા હતા.
નેતન્યાહૂનો પ્રચાર વિશ્વના નેતાઓ સાથેની તેમની આત્મિયતાને પ્રદર્શીત કરવાનો પ્રયાસ છે. પ્રચાર અભિયાન દરમિયાન એવું પણ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, નેતન્યાહૂને ઇઝરાયેલની રાજનીતિમાં એક એવા નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા જે તમામથી અલગ હોય.
આપને જણાવી દઇએ કેસ, 9 એપ્રીલમાં યોજાયેલ ચૂંટણીમાં કોઇપમ દળને બહુમતિ પ્રાપ્ત થઇ નથી અને નેતન્યાહૂ ગઠબંધન સરકાર બનાવવામાં વિફળ રહ્યા હતા. ત્યારબાદ ઇઝરાઇલના સાંસદોએ મે મહિનામાં 21મી સંસદને ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો અને તેમાં સફળતા મળી.