મમતા બેનરજીએ કહ્યું કે ભારતવર્ષમાં આવી સરકાર પહેલા ક્યારેય જોઈ નથી, હું પહેલા પણ ૭ વાર સાંસદ રહી ચૂકી છું, મે ઘણા પ્રધાનમંત્રી જોયા છે, ઘણી સરકારો જોઈ છે, જો કે આનાથી વધુ ખરાબ પીએમ અને ગૃહમંત્રી ક્રયારે નથી જોયા.
મમતા બેનરજીનું નિવેદન
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને લઈને આપ્યું નિવેદન
બંગાળમાં ચાલી રહી છે ચૂંટણી
પશ્ચિમ બંગાળમાંના હુગલીમાં એક રેલીને સંબોધિત કરતાં સીએમ મમતા બેનરજીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું, હુગલીમાં ફુરુશુરામાં એક રેલી દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે પીએમ મોદી અને અમિત શાહ સૌથી ખરાબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન છે.
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ પર લગાવ્યો આરોપ
મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે હું પહેલા પણ સાત વાર સાંસદ રહી ચૂકી છું, પણ મે ક્યારેય આવી ખરાબ સરકાર નથી જોઈ, પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને પણ ખરાબ નેતા ગણાવ્યા હતા, તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સરકારમાં રહીને લોકોની હત્યા કરે છે, અને રોજ ખોટું બોલે છે કે બંગાળમાં કોઈ પરિવર્તન નથી થયું એટલે હવે અહીં પરિવર્તનની જરૂરત છે, અને આ પરિવર્તનનો નારો તો મારો જ દીધેલો છે, હું કહી રહી છું કે જ્યાં સુધી હું પોતાની રીતે નથી જઈ રહી ત્યાં સુધી મને કોઈ કાઢી શકતું નથી.
આની પહેલા બંગાળના હુગલીમાં રવિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથની પણ એક રેલી હતી જેમાં સીએમ યોગીએ ટીએમસી પર નિશાન સાધતાં કહ્યું હતું કે જેવી ગુંડાગર્દી બંગાળમાં ચાલી રહી છ, એવી ક્યારેક કાશ્મીરમાં પણ હતી, પણ આજે ત્યાં શાંતિ છે, કાશ્મીર હવે વિકાસના રસ્તે ચાલી પડ્યું છે.