શાકભાજીમાં ઘણા લોકો ભીંડાને સૌથી વધારે પસંદ કરે છે. આ એક શાક છે જે મોટાભાગના ઘરમાં બનાવવામાં આવે છે એને બનાવવામાં ઓછો સમય તો લાગે જ છે પરંતુ સ્વાદના મામલે પણ એની કોઇ સરખાણી કરી શકે નહીં. પરંતુ શું તમે જાણો છો કે ભીંડાનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. તો ચલો ભીંડાથી શું ફાયદા થાય એ તમને જણાવીએ.
ભીંડા પોષકતત્વોથી ભરપૂર હોય છે. એમાં કેલ્શિયમ આયરન જિંક પોટેશિયમ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે શરીરના પૂર્ણ વિકાસમાં મદદ કરે છે. એવામાં ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે.
આમ તો ભીંડા 12 મહિના આવે છે પરંતુ એનો રીયલ સ્વાદ ગરમીમાં જ આવે છે. ગરમીમાં મોટાભાગના લોકોને જલ્દી થાક લાગવા લાગે છે. જેનું મુખ્ય કારણ લોહીમાં લેક્ટિક એસિડ અને અન્ય કેમિકલના સ્તરમાં વધારો થવો પણ છે. ભીંડામાં રહેલા પોષક તત્વો એ સ્તરને ઓછો કરે છે જેનાથી થાક ઓછો લાગે છે.
આમ તો લોકો વધતા વજનથી પરેશાન રહે છે. એવામાં ભીંડા આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. ભીંડામાં ડાયટરી ફાયબર હોય છે. જેના કારણથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અહેસાસ થાય છે. એવામાં તમે વધારે કેલેરી લેવાથી બચી જાવ છો.
શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ બરાબર બનાવવા રાખવાનું પણ કામ કરે છે. ભીંડામાં બિલકુલ ફેટ હોતી નથી. એની સાથે ભીંડા મેટાબોલિક ડિસઓર્ડરને ઠીક કરવાનું કામ કરે છે.