નારિયેળમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. જે આર્થ્રાઈટિસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તાજું નારિયેળ ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે જ્યારે સૂકા કોપરામાં ન્યૂટ્રિઅન્ટ્સ ઓછાં હોય છે. આ જ કારણથી તાજું નારિયેળ ખાવું વધુ ફાયદાકારી છે. તમે તેની બરફી કે ચટણી બનાવીને પણ રોજ ખાઈ શકો છો. જેથી આજે અમે તમને રોજ નારિયેળ ખાવાના ફાયદા જણાવીશું.
નારિયેળ ખાવાથી બોડી ડિટોક્સ થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. આ સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે.
નારિયેળમાં બદામ અખરોટ અને સાકર મિક્સ કરીને ખાવાથી મેમરી પાવર ઝડપથી વધે છે. આ બ્રેન પાવર વધારવા માટેનો પણ કારગર ઉપાય છે.
નારિયેળમાં ફેટ હોતું નથી. જેથી તેને ખાવાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
1 ચમચી ક્રશ કરેલાં નારિયેળને સવાર-સાંજ ખાવાથી પેટના કૃમિ જલ્દી મરી જાય છે.
નાળિયેર રોજ ખાવાથી બોડીમાં સારાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.
નારિયેળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આને ખાવાથી ઘા જલ્દી રૂઝાય છે.
પ્રેગનેન્સીના સમયે સ્ત્રીઓ નારિયેળ ખાય તો ઊલટીની પ્રોબ્લેમમાં રાહત મળે છે. સાથે જ ગર્ભમાં રહેલું બાળક પણ હેલ્ધી બને છે.
નાળિયેરમાં વિટામિન સી હોય છે. જેથી બોડીની ઈમ્યૂનિટી વધારે છે અને બીમારીઓ સામે રક્ષણ કરે છે.
નારિયેળમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જેથી તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
નારિયેળમાં ફાયબર વધુ માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી કબજિયાતની પ્રોબ્લેમ થતી નથી અને ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે.